Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ગરબા કેટલાં વાગ્યા સુધી ચાલશે? ગૃહરાજ્યમંત્રીએ આપેલી છૂટ બાદ વિવાદ, જાણો હાઈકોર્ટે શું આદેશ કર્યો?

નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે.

હવે ગરબા કેટલાં વાગ્યા સુધી ચાલશે? ગૃહરાજ્યમંત્રીએ આપેલી છૂટ બાદ વિવાદ, જાણો હાઈકોર્ટે શું આદેશ કર્યો?

ઝી બ્યુરો/અમદાવાદ: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે જણાવ્યું છે કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, ડીએમાં થયો 4 ટકાનો વધારો

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે એક ખુશખબર આપ્યા હતા. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને કારણ કે ગૃહ વિભાગ તરફથી મંગળવારે એવો આદેશ અપાયો હતો કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવા દેવા. આ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. 

રડતી માના ખોળે મલકતો માસૂમ! વિધીની વ્રકતાની આ તસવીરને વિધાતા જ સમજી શકશે

તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો હોવા છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહમંત્રી સુચના આપી શકે નહીં. મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાન થવાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો : વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો

નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે
ગુજરાત હાઇકોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈ નાગરિક બાર વાગ્યા પછી વાગતા લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ હુકમો પસાર થયા તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 12 વાગ્યા બાદ સ્પીકરના કારણે થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અગાઉ નિર્દેશો અપાયેલા હોવાની બાબત કોર્ટે સ્પષ્ટતા કરી છે. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે.

Language Tips: અંગ્રેજી જ નહીં, કોઈ પણ નવી ભાષા શીખવી છે? તો આ રહી તમારા કામની ટિપ્સ

ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More