Home> Gujarat
Advertisement
Prev
Next

ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતા 'વહીવટો' અંગે ગુજરાત સરકારની લાલ આંખ, કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય

સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે. રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈમાં કર્યો સુધારો. ટ્રસ્ટની મિલકતની અપસેટ વેલ્યુ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ (DLVC)" દ્વારા નિયત કરાશે.

ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતા 'વહીવટો' અંગે ગુજરાત સરકારની લાલ આંખ, કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ-36માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, India નહીં હવે 'ભારત' ભણશે બાળકો, NCERT ની ભલામણ

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી કલમ 36 હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી, જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે.

જમીન પર સૂતેલા યુવક પર એક નહીં પરંતુ 8 વાર ટ્રેક્ટર ચડાવી દીધુ, ઘટનાનો Video વાયરલ

તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. 

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ? પ્રેમિકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો, ચપ્પુના ઘા

હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ" દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

જનેતાની એવી તો શું મજબૂરી હશે કે 9 મહિના પેટમાં રાખી જન્મતા જ બાળકીને તરછોડી દીધી!

ટ્રસ્ટની કોઈપણ મિલકતની કોઈપણ પ્રકારે એટલે કે વેચાણ, ગીરો, વિનીયમ ભાડાપટ્ટે અથવા બક્ષિસના પ્રસંગે જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિના મિલકતની કિંમત અંગેનો રિપોર્ટ ફરજિયાત મેળવવાનો રહેશે. આ ઓનલાઇન કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયાથી સાર્વજનિક ટ્રસ્ટોને વધુમાં વધુ લાભ થાય તે રાજ્ય સરકારનો હેતુ છે.

નવેમ્બરમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે સીધી અસર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More