હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે.
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં COVID-19 રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિની અસરોને ધ્યાને લઈ ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા તમામ સ્વ-નિર્ભર સંસ્થાઓ અને તેમના સંચાલક મંડળોને તેમની વર્ષ ૨૦૧૯-૨૦ની હાલની ફીમાં એટલિસ્ટ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈ પણ વધારો ન સૂચવવાની અપીલ કરાઈ હતી. જેના જવાબમાં સ્વનિર્ભર કોલેજ અસોસિયેશન દ્વારા કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહિ તેવુ કહેવાયું છે. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ પણ આ મામલે સહમતી દાખવી છે. આમ, સ્વનિર્ભર કોલેજ અસોસિયેશનનાં હોદ્દેદારો અને યુનિવર્સીટીનાં પ્રતિનિધિઓના સહકારભર્યા વલણથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે નીચે મુજબનું નક્કી કરાયેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે