Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: રાજ્યમાં કુલ 1159 નવા દર્દી, 879 સાજા થઇને ઘરે ગયા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 8 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1159 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 879 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 25067 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 385.64 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

Gujarat Corona Update: રાજ્યમાં કુલ 1159 નવા દર્દી, 879 સાજા થઇને ઘરે ગયા

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 8 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1159 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 879 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 25067 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 385.64 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

સુરત પાલિકાની તિજોરી તળીયા ઝાટક, રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગ કરી

રાજ્યમાં દિન પ્રતિદિન  ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજ્યમાં કુલ 25,067 ટેસ્ટ કરવામાં આવ્યા. જે રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવ 285.64 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલી થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,38,073 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1159 દર્દી નોંધાયેલા છે. આજ રોજ 879 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયેલા છે. 

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, મોટા ભાગની નદીઓમાં નવાનીરથી ડેમ છલકાયા

રાજ્યમા જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,91,340 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,89,572 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન છે અને 1768 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો 13793 દર્દીઓ એક્ટિવ છે. વેન્ટિલેટર પર 84 છે જ્યારે 13708 સ્ટેબલ છે.

અમદાવાદ : દશામાની મુર્તિઓની એવી સ્થિતી, ભક્તો ફરી ક્યારે આવી ભુલ નહી કરે

આ ઉપરાંત 44074 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. 2418 લોકોનાં મોત નિપજ્યાં છે. આજના દિવસમાં કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 6, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, પાટણ 2, વડોદરા કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને કચ્છનાં 1 સહિત 22 લોકોનાં મોત નિપજ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More