Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાની સતત વણસતી સ્થિતી, 2190 કેસથી હાહાકાર

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2190 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1422 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.07 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાની સતત વણસતી સ્થિતી, 2190 કેસથી હાહાકાર

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2190 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1422 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.07 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ

અત્યાર સુધીમાં કુલ 40,89,217 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,25,153 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 47,14,370 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

સુરત બાદ વડોદરા પણ કોરોના મુક્ત? પોલીસ માસ્ક નહી પહેર્યું હોય તો દંડ નહી વસુલે !

રાજ્યમાં સતત વકરી રહેલી સ્થિતીને જોતા સમગ્ર રાજ્યમાં 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 2190 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે. રાજ્યમાં નવા 2190 નવા કેસ 1422 સાજા થયા. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.07 ટકા થઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

કિસ્સો એક સગીરાનો: જાણો કેવી પહોંચી SEX ના કારોબારમાં, આપવિતી સાંભળી તમેપણ કંપી ઉઠશો

રાજ્યમાં હાલ કુલ 10134 કોરોનાના એક્ટિવ કેસ છે. 83 લોકો વેન્ટિલેટર પર છે. 10051 લોકો સ્ટેબલ છે. 2,81,707 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4479 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 4, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More