Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 15 સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 08 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 2,52,407 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 15 સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 08 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 2,52,407 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

AHMEDABAD માં પોલીસ ચોંપડે ચડેલા રીઢા ગુનેગારોને પોલીસે ગુજસીટોકનો ગાળીયો કસ્યો

જો રાજ્યના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 136 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,505 નાગરિકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય. 

ઘરફોડ ચોરી કરનારી ગેંગનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો, આ રીતે કરતા હતા ચોરી

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇનવર્કર્સ પૈકી 36ને વર્કર્સને રસીનો પ્રથમ જ્યારે 2402 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27792 ને રસીનો પ્રથમ અને 41624ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 72864 નાગરિકોને રસીનો પ્રથમ અને 107689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં 2,52,407 રસીના ડોઝ એક દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,66,87,540 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More