Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 410 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 410 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

વાહ પોલીસ! ધારાસભ્યનાં ડ્રાઇવરનો મોબાઇલ ચોરાયો તો ગણત્રીનાં દિવસોમાં ઝડપાયો આરોપી

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.51 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

AHMEDABAD: રાત્રી કર્ફ્યૂ છતા ત્રણ પોલીસ સ્ટેશનની હદ વટાવી હિંસક હુમલો અને...

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,665 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 48 છે. જ્યારે 4,617 લોકો સ્ટેબલ છે. 2,50,056 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4376 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 01 વ્યક્તિનું મોત નિપજ્યું છે. મહિસાગરમાં 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં માત્ર 01 મોત કોરોનાને કારણે નિપજ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More