ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 37 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,563 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 4516 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
અમદાવાદમાં વિધવા મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ નહી કરતા યુવકે કર્યો એવો કાંડ કે...
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 214 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 212 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,13,563 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 15, આણંદ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 33 કેસ નોંધાયા હતા.
રાધનપુરમાં પુત્રની જાન પરણવા નિકળે તે પહેલા માતાને કરંટ લાગતા મોત, સાદાઇથી લગ્ન પુર્ણ થયા
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 92 ને રસીનો પ્રથમ જ્યારે 1076 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 12 ને રસીનો પ્રથમ અને 146 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 2158 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 95 ને રસીનો પ્રથમ અને 937 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 4,516 ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,83,81,237 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે