ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર તબક્કાવાર રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. આજે રાજ્યમાં 29 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,62,380 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
એવા તુલસી વિવાહ કે આ પ્રકારના લગ્ન માટે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ઇચ્છતા હોય છે
રાજ્યમાં હાલ કુલ 235 નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 231 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,654 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. રાજ્યમાં અમદાવાદમાં 15, વલસાડમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત 2, જામનગર, ખેડા, સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા હતા. આ પ્રકારે કુલ 29 નવા કેસ નોંધાયા હતા.
વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: CM પટેલ
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 ને પ્રથમ જ્યારે 1307 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 10337 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 111703 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 32657 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 306371 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,62,380 નાગરિકોનું રસીકરણ આજે કરાયું હતું. આ પ્રકારે કુલ 7,48,02,595 રસીકરણ થઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે