ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. આજે 74 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી 8,13,998 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં રસીકરણના મુદ્દે પણ સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. આજના દિવસમાં 3,92,953 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
JAMNAGAR: રેલવે વિભાગ દ્વારા કરોડની કિંમતની જમીન પર થયેલ દબાણ હટાવાયું
જો રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 443 કેસ એક્ટિવ છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. 437 લોકો સ્ટેબલ છે. 8,13,998 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10076 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં માત્ર 5-5 કેસ જ આવ્યા છે. જ્યારે ભરૂચ અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ આવ્યા છે.
AHMEDABAD: તમારા ઘરે મજુરને કામ કરવા બોલાવતા પહેલા વિચારજો, ઝાકીર શેખની ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
26 જિલ્લામાં એક પણ કેસ નથી જ્યારે 3 મહાનગર જામનગર, ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નથી. 8 જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 234ને પ્રથમ અને 13808 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 69067 ને પ્રથમ અને 89847 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 211764 લોકોને પ્રથમ અને 8233 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે