Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: નવા 22 કેસ, 19 દર્દી રિકવર; આજે એકપણ મોત નથી

રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે

GUJARAT CORONA UPDATE: નવા 22 કેસ, 19 દર્દી રિકવર; આજે એકપણ મોત નથી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,11,145 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 189 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 084 સ્ટેબલ છે. 8,15,909 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક વ્યક્તિનું મોત થયું નથી. સુરત કોર્પોરેશન અને વલસાડમાં 5-5 કેસ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને નવસારીમાં 3-3 કેસ આવ્યા છે. કચ્છમાં 2 કેસ આવ્યા છે. જ્યારે ગાંધીનગર, ખેડા, રાજકોટ કોર્પોરેશન અને વડોદાર કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 22 કેસ આવ્યા છે.

કાશ્મીરથી કન્યા કુમારી સુધી કૌભાંડની હારમાળા સર્જનાર જાણો કોણ છે અનમોલ શેઠ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 ને પ્રથમ જ્યારે 2711 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 22437 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 65292 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 63649 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,57,046 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,11,145 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,75,12,208 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More