અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1282 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1111 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 74,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1142.06 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,95,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1282 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1111 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 75,662 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.59% ટકા છે.
SEAPLANE સેવાના ઉદ્ઘાટનમાં PM પોતે બની શકે છે મુખ્ય મહેમાન, નર્મદાથી આવશે અમદાવાદ
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,99,371 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,98,853 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 518 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
જામનગરમાં મહોરમની ઉજવણી મોકુફ, ઘરમાં જ સાદગીથી ઉજવણી માટે અપીલ કરવામાં આવી
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15230 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 15141 લોકો સ્ટેબલ છે. 75662 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2991 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, મહેસાણા 1, મોરબી 1, જામનગર કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનના 1નો સમાવેશ થાય છે. કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે