હિતલ પારેખ/અમદાવાદ :રાષ્ટ્રપતિએ ગુજરાતના ગુજકોક બિલ (Gujarat Control of Organised Crime Act) ને મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ (GUJCTOC) ને અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા નામંજૂર કરાયું હતું. જેના બાદ આજે તેની મંજૂરી મળી છે. આ કાયદાના મદદથી ગુજરાતમાં આતંકવાદને નિયંત્રિત કરી શકાશે.
દલા તલવાડીની વાડી બની વડોદરા પાલિકા, મોબાઈલ બાદ ભાજપના સત્તાધીશોને હવે નવી કાર ખરીદવી છે
મહારાષ્ટ્રના મકોકા જેવો ગુજકોક કાયદો
તેમણે કહ્યું કે, આ કાયદાને મંજૂરી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયું છે. આ કાયદાને કારણે આતંકવાદી પ્રવૃત્તિ અંકુશમાં લાવી શકાશે. તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થશે. આ કાયદાના મદદથી કોન્ટ્રાક્ટ કિલીંગ, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવાવ જેવા ગુનાઓ નિયંત્રિત થશે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંદર્ભે વધુપુરાવાઓ એકત્રિત કરવામાં કાયદાકીય પીઠબળ મળશે.
ગુજકોકના માધ્યમથી જે આરોપીઓ પકડાય તેઓને સજા સુધી પહોંચાડવા સરકારી વકીલ આ અંગેના કેસ લડશે તેવી વ્યવસ્થા કરાશે. ગુનેગારો માટે વિશેષ કોર્ટની પણ રચના કરવામાં આવશે. આ કાયદામાં સંદેશાવ્યવહારને આંતરીને એકઠા કરાયેલા પુરાવા ગ્રાહ્ય રહેશે. તેમજ સાક્ષીઓને પણ પૂરતુ રક્ષણ આપવામાં આવશે. આ કાયદો મહારાષ્ટ્રના મકોકાના કાયદા જેવો છે. આ કાયદો આતંકવાદ સામેની લડાઈ છે.
GUJCTOCથી શું શું થશે...
હાર્દિક પટેલની રૂપાણી સરકારને ચીમકી, ‘7 દિવસમાં પાક વીમો નહિ આપો તો ખેડૂત આંદોલન થશે’
2009માં કેન્દ્રએ પરત મોકલ્યું હતું
2004માં જ્યારે અટલ વાજપેયી સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમા થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. 2009માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાના ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યુ હતુ અને કહ્યું હતું કે જ્યા સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રી કાયદાના અનુસાર બદલાવ નથી કરતી, ત્યાં સુધી તેને મંજુરી કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહી કરવામાં આવે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે