ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આજે નિરીક્ષક અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં ‘જનઘોસણા પત્ર 2022 જનતાની સરકાર''થી ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. જેમાં રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, લોકો પાસેથી સૂચનો મેળવીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે. ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્ર સ્થાને હશે. કૉંગ્રેસે રાજ્ય માટે એક અને બેઠક મુજબ 182 ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ચૂંટણી ઢંઢેરા વખતે હાજર રહેશે. બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી હતી. જેના બાદ આજે સાંજે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટ પૂર્વથી કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી છે.
આ પણ વીડિયો જુઓ:-
ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી નારાજગી બાદ કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ અપાઈ છે. ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, એ પહેલા 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ હવે કોંગ્રેસે કુલ 96 ઉમેદવારો જાહેર કર્યા છે.
AAP માંથી વાપસી કરનાર ઈન્દ્રનીલને ટિકિટ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર તરિકે ચૂંટણી લડશે. ઈન્દ્રનીલને આપ સાથે વાકુ પડતા તેમણે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. થોડા દિવસ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઘરવાપસી કરી છે. 2017 માં વિજય રૂપાણી સામે ઈન્દ્રનીલ રાજ્યગુરુનો પરાજય થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે