Home> Gujarat
Advertisement
Prev
Next

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસનો ખેલ, બેઠક કરીને ચૂંટણીમાં હારના કારણો શોધ્યા

Gujarat election results : ગુજરાત વિધાનસભાની ચૂંટણી કારમી હાર બાદ કોંગ્રેસે હવે સમીક્ષા કરવા નીકળ્યું છે. સૌરાષ્ટ્રના નેતાઓ સાથે બેઠકો કરીને હારના કારણો શોધી કાઢ્યા

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસનો ખેલ, બેઠક કરીને ચૂંટણીમાં હારના કારણો શોધ્યા

Gujarat Election Result ગૌરવ પટેલ/અમદાવાદ : 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નાલેશીજનક પ્રદર્શન કર્યું. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ચૂંટણી પરિણામમાં કારમી હાર બાદથી કોંગ્રેસના ખેમામાં શાંતિ છવાઈ હતી. નેતાઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે. 

ગુજરાત કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા કરી અને તેના કારણો જાણ્યા. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે હવે કોંગ્રેસ મંથન કરશે. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા. 
 
હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે. 

કોંગ્રેસના હારના કારણો
ઉમેદવારની જાહેરાત કરવામાં કોંગ્રેસે વિલંબ કર્યો તે મોટું કારણ 
પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો
ભાજપ રૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું
વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું
ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં

બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઇવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે. મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More