Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat: મુસાફરોની સંખ્યા એક કરોડને પાર, અમદાવાદ એરપોર્ટ પર લાઈનો ઘટશે અને સમય બચશે

Ahmedabad Airport: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળી શકે છે. એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ત્રીજા ટર્મિનલની શક્યતા પર કામ ચાલી રહ્યું છે.

Gujarat: મુસાફરોની સંખ્યા એક કરોડને પાર, અમદાવાદ એરપોર્ટ પર લાઈનો ઘટશે અને સમય બચશે

Ahmedabad Airport: ગુજરાતના સૌથી વ્યસ્ત એરપોર્ટ અમદાવાદ એરપોર્ટને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વાર્ષિક મુસાફરોની બમણી થયા બાદ એરપોર્ટ ઓથોરિટી અને એરપોર્ટના સંચાલનની દેખરેખ રાખતી અદાણી એરપોર્ટ્સ આ દિશામાં કામ શરૂ કર્યું છે.

અંબાલાલ પટેલની આગાહી; જાણો ગુજરાતમાં કયારે થશે બારે મેધ ખાંગા, કયારે પડશે સાંબેલાધાર

શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળી શકે છે. એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ત્રીજા ટર્મિનલની શક્યતા પર કામ ચાલી રહ્યું છે. હાલના T1 અને T2ને વિસ્તારવા માટે કામ ચાલી રહ્યું છે. અમદાવાદમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં એરપોર્ટને નવા ટર્મિનલની જરૂર છે.

CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, ગુજરાતના વિકાસ માટે આ કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી

ત્રીજા ટર્મિનલ પર રનવે
અદાણી એરપોર્ટના સીઈઓ અરૂણ બંસલે TOIને જણાવ્યા અનુસાર ટર્મિનલ 1 અને 2ની વર્તમાન ક્ષમતા વાર્ષિક એક કરોડ મુસાફરોની છે. ત્રીજું ટર્મિનલ મળ્યા બાદ વાર્ષિક મુસાફરોની ક્ષમતા વધીને 1.6 કરોડ થઈ જશે. બંસલે કહ્યું કે વર્તમાન વર્ષમાં અમે 1.3 કરોડ મુસાફરોની અપેક્ષા રાખીએ છીએ. તેથી ત્રીજા ટર્મિનલની જરૂર છે, જેના પર અમે કામ કરી રહ્યા છીએ. બંસલે કહ્યું કે SVPIA પાસે એક રનવે છે. અદાણી જૂથ દ્વારા સંચાલિત મુંબઈ એરપોર્ટ એક રનવે પરથી વાર્ષિક 4.5 કરોડ મુસાફરોને હેન્ડલ કરે છે. તેથી, અદાણી ગ્રૂપ T1, T2 અને સૂચિત T3નો ટ્રાફિક એક જ રનવેથી સરળતાથી હેન્ડલ કરી શકે છે. ત્રીજા ટર્મિનલમાં સિંગલ રનવે હશે.

કચ્છની જમીનમાં દરિયાની ખારાશ રોકવા શરૂ કરાયો નવતર પ્રયોગ, શરૂ કરાયું મોટું અભિયાન

સાતમા નંબરનું વ્યસ્ત એરપોર્ટ અમદાવાદનું
દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. બીજા નંબરે મુંબઈ અને પછી બેંગ્લોર અને ચોથા નંબરે હૈદરાબાદ એરપોર્ટ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ મુસાફરોની સંખ્યા અને ટ્રાફિકની દૃષ્ટિએ સાતમા નંબરે છે. વર્ષ 2022-23માં આ એરપોર્ટ પરથી 10,137,001 મુસાફરોએ મુસાફરી કરી હતી. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં આ સંખ્યા 5,670,896 હતી.

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI હોવાનું કહી વેપારીને દેખાડ્યા ડોલર, કર્યો હિપનોટાઈઝ

કુલ સંખ્યા 12 પર પહોંચશે
અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાજ્યનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. તો રાજ્યમાં કુલ 10 એરપોર્ટ છે. જે કામગીરીમાં મુન્દ્રાનું એરપોર્ટ ખાનગી છે. ધોલેરા અને રાજકોટના એરપોર્ટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આ બે એરપોર્ટ શરૂ થતાં એરપોર્ટની કુલ સંખ્યા વધીને 12 થઈ જશે. મહેસાણાના એરપોર્ટનો ઉપયોગ ફ્લાઈંગ સ્કૂલ માટે થતો હોવા છતાં રાજ્યમાં હાલમાં કુલ ચાર એરપોર્ટ છે. જેમાં અમદાવાદ, સુરતના એરપોર્ટનો સમાવેશ થાય છે. રાજકોટ અને ધોલેરાનું એરપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય બનશે.

ફ્રેન્ડ્સ, ફેમિલી અને કપલિયા બધા માટે બેસ્ટ છે અમદાવાદ નજીકના આ 15 સ્થળો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More