Home> Gujarat
Advertisement
Prev
Next

લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા

લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા
  • આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું
  • ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જતી બસોને અસર થઈ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાની ચેઈન તોડવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો ડબલ મ્યુટન્ટ વાયરસ (double mutant covid) લઈને આવી રહ્યાં છે. આ જોતા ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જેને જોતા ગુજરાત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતથી 3 રાજ્યોને જોડતી એસટી બસની સુવિધા પર મોટી અસર પડી છે.  

ગુજરાતમાં ડબલ મ્યુટેશન વાયરસનો બ્લાસ્ટ, હવે જીનોમિંગ સિક્વન્સ જ એકમાત્ર ઉપાય

50 ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ
કોરોનાની અસરને પગલે સૌથી મોટી અસર gsrtc સેવા પર થઈ છે. ત્યાર તકેદારીના ભાગરૂપે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર (maharastra), મધ્યપ્રદેશ (madhya pradesh) તરફની બસ સેવા બંધ કરાઇ છે. રાજસ્થાન તરફના પ્રવાસીઓ ઘટતા 50 ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ છે. આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું છે. 

કુંભ મેળામાંથી સુરત આવેલા 13 લોકો પોઝિટિવ નીકળ્યા

રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ
તો બીજી તરફ, રાજકોટ એસટી વિભાગમાં 50 થી વધુ મુસાફરો સંક્રમિત થયા છે. જેથી રાજ્યમાં 90 થી વધુ એસ.ટી બસ સ્ટેન્ડના શેડ્યુલ રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. 

આ રીતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જતી બસોને અસર થઈ છે. તમામની 50 ટકા ટ્રીપ રદ કરવામાં આવી છે.

સોસાયટીમાં 100 વ્યક્તિઓ રસી મૂકાવવા તૈયાર છે? સુરત પાલિકાને આ નંબર પર ફોન કરવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More