Home> Gujarat
Advertisement
Prev
Next

ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી

ભાજપના આ નેતા ગોરધન ઝડફિયાને અગાઉ પણ અનેકવાર ધમકી મળી હતી. તો આ અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું કે...

ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં નેતાના હત્યાના પ્લાનનો પર્દાફાશ થયો છે. જેમાં પૂર્વગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા (gordhan zadafia) ની હત્યાના ષડયંત્રને ગુજરાત એટીએસએ નિષ્ફળ બનાવ્યું છે. મહારાષ્ટ્રથી આવેલો શાર્પશૂટર ગોરધન ઝડફિયાની હત્યા કરે તે પહેલા જ પકડાઈ ગયો હતો. તે અમદાવાદના રિલીફ રોડની હોટલમાં રોકાયો હતો, જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, ભાજપના આ નેતા ગોરધન ઝડફિયાને અગાઉ પણ અનેકવાર ધમકી મળી હતી. તો આ અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું કે, મને કોઈ માહિતી ન હતી. મને આ વિશે ફોન દ્વારા માહિતી મળી છે. અગાઉ મને ધમકીઓ મળી ચૂકી છે. વલસાડ નવસારી જિલ્લામાં મારા પ્રવાસ દરમિયાન મને ધમકીઓ મળી હતી. તે અંગે મેં લેખિતમાં ગૃહમંત્રીને જાણ કરી હતી. હાલ મને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બે નેતાઓની દિનદહાડે હત્યા કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર કનેક્શન ખૂલ્યુ હતું. બીજો મોટો ખુલાસો એ થયો છે કે, શાર્પશૂટર કમલમ પર પણ શાર્પશૂટરે રેકી કરી હતી. 

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

એટીએસ પર ફાયરિંગ કરનાર શાર્પ શૂટર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા માટે ગુજરાતમાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવાની સૂચના અપાઈ, હાલ તેઓ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સાથે સોમનાથના પ્રવાસે છે. તેઓને સોમનાથમાં પોતાની હત્યાના ષડયંત્ર અંગે જાણ થઈ હતી. હાલ ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવાની સૂચના અપાઈ છે. 

તમને જણાવી દઈએ કે, ગોરધન ઝડફિયા ગોધરાકાંડ સમયે ગૃહરાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે. ત્યારે શાર્પશૂટર ગુજરાતમાં ફરીથી એક્ટવિ થયા છે.  

છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી 

ઉલ્લેખનીય છે કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 3 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

ગુજરાતના નેતાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરનું ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ

અહીં કોને પડી છે કોરોનાની...? સોમનાથ ત્રિવેણી સંગમના દ્રશ્યોમાં બધુ જ ભૂલાયું 

આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી 

બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો

આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ 

એક ક્લિકમાં જાણો ગુજરાતના Monsoon Updates, ક્યાં કેટલો વરસાદ?

બુદ્ધેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરતા જ સુરતની કિમ નદીના પૂરના પાણી ઓસરી જાય છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More