Home> Gujarat
Advertisement
Prev
Next

Pakistan ની જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને, આપી આંદોલનની ચિમકી

મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલ (Pakistan Jail) માંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ.

Pakistan ની જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને, આપી આંદોલનની ચિમકી

ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના 350 થી વધુ પાક જેલમાં કેદ માછીમારો (Fisherman) ને છોડાવવા મહિલાઓ આવી મેદાને છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. ટુંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવા નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આજે મોટી સંખ્યામાં ગીર સોમનાથ  (Gir Somnath) જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરી આગળ પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર (Fisherman) પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ હતી. અને સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 4 -4 વર્ષ થી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમછતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે. 

મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલ (Pakistan Jail) માંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. અને એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને 'મોદી સરકાર મદદ કરો' ના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. અને ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ.

સુરતીઓના અનોખા ગરબા, ખેલૈયા તપેલી અને હેલ્મેટ પહેરી ગરબે ઝૂમ્યા

બીજી તરફ માછીમાર (Fisherman) પરિવારની મહિલાઓ આક્રોશ પણ યોગ્ય તેવું લાગી રહ્યું કારણ કે પાકિસ્તાન (Pakistan) ની જેલમાં કેદ ગુજરાતના 500 થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારો બે-બે વર્ષ થયા છે. તો અનેક ને 3 -4 વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારો (Fisherman) ના પરિજનો પ્રતીક્ષા ખોટી હોવી તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલી માં પણ મુકાયા છે. ઘણા લોકો ના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. તો ઘણા ને પોતાના બાળકો ના અભ્યાસ ને લઈ ચિંતા છે. 

પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃધ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલ માંથી મુક્ત થઈ ઘરે આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી પાંચ સૌથી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાંથી 350 તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે. અને એટલે જ છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં માછીમારો ન છુટતા મહિલાઓ માં રોષ સાથે વેદના જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More