Home> Gujarat
Advertisement
Prev
Next

લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર સરખેજ સિક્સલેન રોડ (gandhinagar sarkhej sixlane) ની કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું. કોરોનાં સંક્રમણ અને લોકડાઉન બાદ આ સિક્સલેનનું કામકાજ અટકાવી દેવાયું હતું. ત્યારે ફરી એક વખત રોડ બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનમાં વતન જઈ રહેલા પરપ્રાંતિયોને અટકાવવા અને તેઓને કામ અને રોજગાર મળી રહે તે હેતુથી આ રોડનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર બની રહેલ .સિક્સ લેન રોડનું નીતિન પટેલે (Nitin patel) નિરીક્ષણ કર્યું હતું. તેમજ હાલ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.

લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ

ઉદય રંજન/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર સરખેજ સિક્સલેન રોડ (gandhinagar sarkhej sixlane) ની કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું. કોરોનાં સંક્રમણ અને લોકડાઉન બાદ આ સિક્સલેનનું કામકાજ અટકાવી દેવાયું હતું. ત્યારે ફરી એક વખત રોડ બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનમાં વતન જઈ રહેલા પરપ્રાંતિયોને અટકાવવા અને તેઓને કામ અને રોજગાર મળી રહે તે હેતુથી આ રોડનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર બની રહેલ .સિક્સ લેન રોડનું નીતિન પટેલે (Nitin patel) નિરીક્ષણ કર્યું હતું. તેમજ હાલ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.

રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા

આ વિશે નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉનના શરૂઆતના સમયમાં ખાસ કરીને તબક્કામાં સમગ્ર દેશની અંદર બધુ જ કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. કડકાઈથી લોકડાઉનનો અમલ કરાયો હતો. ત્યારે ભારત સરકારના માર્ગદર્શન બાદ હાલના તબક્કમાં માર્ગ મકાન અંતર્ગત પીડબલ્યુડીની કામગીરી શરૂ કરવાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી છે. તેના કારણે ગુજરાતમાં માર્મ મકાનના જે કામો લકોડાઉનમાં બંધ થયા હતા તે બધા પુન શરુ કરવાનો નિર્ણય કરાયો છે. આ મામલે કોન્ટ્રાક્ટર અને ઈજારદાર સાથે સંકલન કર્યું છે. 

જે તબીબોને કોરોનાની બીક લાગતી હોય તે અમદાવાદના ડો.પ્રવીણ ગર્ગનો જુગાડ અપનાવે 

પરપ્રાંતિયો મામલે તેઓએ કહ્યું કે, આ કામગીરીમાં કામદારોનો સ્ટાફ લગભગ મોટાભાગના પરપ્રાંતિય શ્રમિકો હતા, જેઓ વતન જવા માંગણી કરી રહ્યા છે. આવા સમયે તેઓને સાચવવા અને કામમાં જોડવા માર્ગ મકાન વિભાગ માટે પડકારજનક કામ હતું. રાજ્યના કોન્ટ્રાક્ટર પોતાના કાયમી કામદારો અને શ્રમિકોને ઘણા લોકોને જાળવી શક્યા છે. આ કારણે હાલ 300થી વધુ કામો શરૂ કરાયા છે. માર્ગ મકાન વિભાગના અંદાજે 9 થી 10 હજાર કરોડના કામો શરૂ થઈ ગયા છે. 

કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ 

તેઓએ વધુમા જણાવ્યું કે, નર્મદા નિગમ તરફથી પણ કેનાલ કડીથી ઘાટી સુધી જતી 22 વર્ષથી ચાલુ હતી. તેને મેઈન્ટેન્નસ માટે બંધ નહોતી કરાઈ. ત્યારે હાલ તેના રિપેરીંગનું કામ શરૂ કરાયું છે. હાલ તની કેપેસિટી ઓછી કરીને તેનુ કામ શરૂ કરાયું છે. 22 વર્ષે કેનાલનું રિપેરીંગ કરી રહ્યાં છે. બીજા વિભાગોમાં પણ સરકારે કામગીરી શરૂ કરવા મંજૂરી આપી છે. ગુજરાતમાં આર્થિક ગતિવિધિમાં વેગ આવે, કારીગરો, શ્રમિકો અને કોન્ટ્રક્ટરનું કામ શરૂ થાય, તેમજ મંજૂર થયેલા કામ ઝડપથી પૂરા થાય તેવુ અમે ઈચ્છીએ છીએ. તો સાથે જ સાણંદના ઓવરબ્રિજનુ ઓક્ટોબરમાં પૂરુ થાય તેવી અપેક્ષા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More