Home> Gujarat
Advertisement
Prev
Next

Gandhinagar: આ વર્ષે પરંપરાગત રીતે નિકળશે રથયાત્રા, ભક્તોને નહી મળે પ્રસાદ

ગાંધીનગરમાં 1985થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જોકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી રથયાત્રા પણ નીકળી નહોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું. 

Gandhinagar: આ વર્ષે પરંપરાગત રીતે નિકળશે રથયાત્રા, ભક્તોને નહી મળે પ્રસાદ

હિતલ પારેખ, ગાંધીનગર: છેલ્લા દોઢ વર્ષથી દેશ-વિદેશમાં કોરોનાનો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી લહેરમાં પણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી હતી. પરંતુ હવે ધીમે ધીમે કોરોના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર નિયમોમાં છૂટછાટ આપી રહી છે. અત્યાર સુધી મંદિરના કપાટ બંધ હતા પરંતુ હવે ગુજરાતના મોટાભાગના કપાટ ખુલી ગયા છે.

ત્યારે નજીક અષાઢી બીજ આવતી હોવાથી રથયાત્રા નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી. ત્યારે આખરે ગાંધીનગરમાં રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં 1985થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જોકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી રથયાત્રા પણ નીકળી નહોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું. 

આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રા કાઢસ્વામાં આવશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. રથયાત્રા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં નહી આવે. ભગવાનના રથ સિવાય અન્ય વાહનો પણ નહી હોય. માત્ર મદદ માટે ઉપયોગી વાહનો જ રહેશે. આ ઉપરાંત ચાર કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More