બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચુંટણીઓના દોઢ વર્ષ પહેલા ભાજપ સંગઠન (gujarat bjp) માં મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી સંગઠન મહામંત્રી રહેલા ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ઉત્તર પ્રદેશના રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર (bjp leader ratnakar) નિયુક્તિ કરી અને આ નિયુક્તિએ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના તમામ નેતાઓ અને હોદ્દેદારો નવા મહામંત્રી વિશે જાણકારી મેળવવા લાગી ચૂક્યા છે.
આ પણ વાંચો : ગુજરાતી હોવાનું ગૌરવ લો છો, તો વિદેશ ફરતા પહેલા આ ચાર હેરિટેજ સાઈટની અચૂક મુલાકાત લો
1 ઓગસ્ટની સવાર ગુજરાત ભાજપના કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકારૂપ રહી. પ્રદેશ ભાજપની તમામ નિયુક્તિઓ પૂર્ણ થયા બાદ સમગ્ર સંગઠન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડીના શાસનના પાંચ વર્ષની ઉજવણીમાં લાગ્યું છે ત્યારે અચાનક ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિની જાહેરાત થઇ છે. અચાનક થયેલી આ જાહેરાત ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકો લઈને આવી છે.
ઉત્તર પ્રદેશના દેવરિયાના રત્નાકરને ગુજરાત જેવા મોટા રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીઓ પહેલા અપાયેલી આ જવાબદારી બતાવે છે કે રત્નાકર નિયુક્તિ કેમ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી
રત્નાકરના અત્યાર સુધીના કાર્યકાળ પર નજર કરીએ તો...
આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો
ગુજરાત ભાજપમાં રત્નાકરની નિયુક્તિ અમિત શાહ અને સી.આર.પાટીલના ઉત્તર પ્રદેશમાં કાર્યકાળના ભાગરૂપે માનવામાં આવી રહી છે. કારણકે ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહે ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કર્યું અને વારાણસીમાં લાંબા સમય સુધી અનેક વિકાસકામોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મહત્વની ભૂમિકા રહી.
રત્નાકરને ગુજરાતમાં ભાજપના સંગઠન મહામંત્રી બનાવતા ભીખુભાઈ દલસાણીયાને પણ નવી જવાબદારી મળી શકે છે. રાષ્ટ્રીય સ્તરે તેમને નવી જવાબદારી મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે સૌથી લાંબો સમય તેમણે કામ કર્યું છે. ભાજપમાં સંગઠન મહામંત્રી એ ખૂબ મહત્વની જવાબદારી છે. કારણ કે આ જગ્યા સંઘ અને ભાજપ વચ્ચે સમન્વયનું કામ કરે છે તો સાથે જ સંગઠનલક્ષી કામગીરી તેમણે કરવાની હોય છે.
આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે