Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ભયંકર વાવાઝોડા સાથે પૂરનો ખતરો, સરકારે પ્રથમવાર કબૂલ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રની હાલત બગડશે

Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

ગુજરાતમાં ભયંકર વાવાઝોડા સાથે પૂરનો ખતરો, સરકારે પ્રથમવાર કબૂલ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રની હાલત બગડશે

Cyclone Biparjoy: ગુજરાતના માથે બિપરજોય વાવાઝોડાનું જોખમ છે. બિપરજોય નામનું આ વાવાઝોડું તૌકતે વાવાઝોડા જેવું જ ભયાનક છે. હાલ ભારે પવનથી દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતના તમામ દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. જયારે બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે ત્યારે મોટું નુકસાન થશે. વાવાઝોડાથી કઈ હદ સુધી નુકસાન થશે તે સરકારે પહેલીવાર કબલ્યું છે. ગુજરાતમાં ભયંકર વાવાઝોડા સાથે પૂરનો ખતરો છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રની હાલત બગડશે.

ગુજરાત સરકારને ફફડાટ! ચક્રવાત 8 જિલ્લાના 15 લાખ લોકોને કરશે અસર, 30 હજારનું સ્થળાંતર

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાનની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ગૃહમંત્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું.  

વાવાઝોડા પહેલા ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાને ઘમરો
 
કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે: શાહ
તેમણે વધુમાં કહ્યું કે, કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ પુનઃસ્થાપિત કરી શકાય તેવી તૈયારીઓ કરવી તેમજ તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

બિપોરજોયના 'મહાભયાનક' ખતરા વચ્ચે CM નો વીડિયો સંદેશ, નાગરિકોને કરી ખાસ અપીલ

પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો
બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો. ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ 25 તાલુકા છે જેમાં 0 થી 5 કી.મી માં 260 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા 14,60,300 છે. 5 થી 10 કિ.મી. વિસ્તારમાં 182 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે 4 લાખ 50 હજાર છે.     

ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું

30 હજાર લોકોનું સ્થળાંતર
તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત ૪૩૪ નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ રપ તાલુકાઓમાં ૧પર૧ આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૮ જિલ્લાઓમાં ૪૫૦ હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં મીઠું પકવતા ૮૬૮ અગરિયાઓ તેમજ ૬,૦૮૦ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ૨૮૪ ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. ૫,૩૩૦ અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા ૧૫,૦૬૮ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે. 

15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!

ગુજરાતના 8 જિલ્લાઓમાં NDRF અને SDRF ટુકડીઓ તૈનાત
ગુજરાતના ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી ૪,૦૫૦ હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ ૨૧,૫૯૫ બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે ૨૭ જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ ૨૪ મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે. 

આ વર્ષે સારું નહીં જાય ચોમાસું! વાવાઝોડાના કારણે દેશભરમાં વરસાદ પર કેવી થશે અસર?

હવામાને આપી બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી    
હવામાન વિભાગના મહાનિર્દેશકે ગૃહ પ્રધાનને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) પહોંચે.) અને કરાચી ( પાકિસ્તાન) પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.  ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં મચાવશે તબાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More