Home> Gujarat
Advertisement
Prev
Next

નારાજ નેતાઓના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું, પૂર્વ ગૃહમંત્રીએ અધિકારીઓની ઢીલી નીતિ પર સવાલ ઉઠાવ્યો

રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલીનીતિને કારણે કામ અટક્યું છે તેવું મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.

નારાજ નેતાઓના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું, પૂર્વ ગૃહમંત્રીએ અધિકારીઓની ઢીલી નીતિ પર સવાલ ઉઠાવ્યો

નવનીત દલવાડી/ભાવનગર :રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલીનીતિને કારણે કામ અટક્યું છે તેવું મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.

India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....  

મહેન્દ્ર ત્રિવેદીનો આક્રોશ 
ભાવનગરના વિકાસ માટે જરૂરી કહી શકાય તેવા કંસારા શુદ્ધીકરણ પ્રોજેક્ટનું કામ વર્ષોથી ખોરંભાયેલું છે. આ પ્રોજેક્ટ માટે તેઓએ પોતાના ગ્રાન્ટમાંથી રૂપિયા ફાળવ્યા હતા. ત્યારે વર્ષોથી અટકેલા આ કામ અંગે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીની અધિકારીઓ સામે નારાજગી સામે આવી છે. આ પ્રોજેક્ટ માટે તેઓએ ઘણી મહેનત કરી હતી. ભાવનગરના કમિશનર અને મેયર તથા અધિકારીઓ સામે તેઓએ કામગીરી ન કર્યાનો આરોપ મૂક્યો છે. પોતાના નારાજગી અંગે મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, 2002-03માં અભિયાન શરૂ કરાયું હતું. મારી ગ્રાન્ટના રૂપિયા પાંચ વર્ષ સુધી મેં ફાળવ્યા હતા. 2007માં ટર્મ પૂરી થયા બાદ અનેકવાર મેં આ પ્રોજેક્ટ પૂરુ થવા માટે રજૂઆત કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો જન્મ પણ નહોતો થયો, ત્યારે કંસારા પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. કામ ન થવાનું એક કારણ એ છે કે આ કામનું યશ મને મળશે તેથી બહાનાથી કામ અટકાવાય છે. પરંતુ મને આ મામલામાં જરા પણ રસ નથી. બ્યૂટીફિકેશન માટે દરેક શહેરનો રકમ ફાળવવામાં આવી છે. આજી નદી, તાપી નદી, સાબરમતી નદી, વિશ્વામિત્રી નદી પર જો બ્યુટીફિકેશન થઈ રહ્યું છે, તો પછી ભાવનગરમાં કેમ ન થાય. 

સુરતની ગલીઓમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું, જેલમાંથી છૂટેલા સાગરીતની જાહેરમાં કરાઈ હત્યા

તેમણે કહ્યું કે, આ કામ માટે તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ પ્રાથમિકતા અપાઈ નથી. સરકારમાં, તંત્રમાં દરેક કામની પ્રાથમિકતા હોય છે. આ કામ લાંબા ગાળાના ફાયદા માટે હતું. હાલ વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન ઉઠાવ્યું છે, ત્યારે કંસારા નદી શુદ્ધીકરણ સ્વચ્છતાનો જ પ્રોજેક્ટ છે. પરંતુ તંત્રને આ કામની પ્રાથમિકતા દેખાઈ નથી.

શું છે કંસારા પ્રોજેક્ટ...
કંસારા પ્રોજેક્ટ ભાવનગરનો મહત્વનો પ્રોજેક્ટ ગણાય છે. ભાવનગરમાં આવેલી કંસારા નદીમાં કચરો ઠલવાય છે. ત્યારે આ નદીની ગંદકી સાફ કરીને તેનુ શુદ્ધીકરણ કરતો આ પ્રોજેક્ટ છે. તેમજ નદી પર શુદ્ધ કરી રિવરફ્રન્ટ જેવી સુવિધા ઉભી કરવાનો પ્લાન હતો, પરંતુ હજુ સુધી પ્રોજેક્ટને કોઈ ઓપ આપાવમાં નથી આવ્યો. પ્રોજેક્ટનો નક્શો તૈયાર કરાયો હતો, તેની સામે હજી પણ ધ્યાન અપાયુ નથી. આ નદીનુ શુદ્ધીકરણ કરીને રિવરફ્રન્ટ કરાવવાની વાત દરેક ચૂંટણીમાં કરવામાં આવે છે, તેમ છતા વર્ષોથી આ પ્રોજેક્ટ અટકેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More