ગાંધીનગર: ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની તબિયત લથડી હોવાના અહવાલો છે. સારવાર માટે તેમને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યાં પરંતુ રિકવરી ન થતા અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
મળતી માહિતી મુજબ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝાડા ઉલટી થતા સારવાર માટે પહેલા તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા પરંતુ તબિયતમાં રિકવરી જોવા મળી નહીં. આથી તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે