Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: બોરતળાવના દબાણો દુર કરવાની માંગ સાથે વિપક્ષના ધરણા

શહેરના બોરતળાવની વોટર બોડીની જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. લાંબા સમયથી કરવામાં આવેલા આ દબાણો જેને દુર કરવા હાલના ભાજપના શાસકો નાકામ રહ્યા છે. મહાનગરપાલિકાની સાધારણ સભામાં આ દબાણો બે માસમાં દુર કરવાની વિપક્ષે આપેલી ચીમકી બાદ પણ દુર ના થતા આજે વિપક્ષ દ્વારા મેયરની ચેમ્બર બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ભાવનગર: બોરતળાવના દબાણો દુર કરવાની માંગ સાથે વિપક્ષના ધરણા

ભાવનગર: શહેરના બોરતળાવની વોટર બોડીની જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. લાંબા સમયથી કરવામાં આવેલા આ દબાણો જેને દુર કરવા હાલના ભાજપના શાસકો નાકામ રહ્યા છે. મહાનગરપાલિકાની સાધારણ સભામાં આ દબાણો બે માસમાં દુર કરવાની વિપક્ષે આપેલી ચીમકી બાદ પણ દુર ના થતા આજે વિપક્ષ દ્વારા મેયરની ચેમ્બર બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

CAAના વિરોધમાં અમદાવાદમાં સ્થિતી તંગ: પોલીસની પ્રશંસનીય કામગીરી, સ્થિતી પર કાબુમાં

ભાવનગરની પ્રજા માટે રાજવી પરિવારની ઉત્તમ દેણ સમું બોરતળાવ કે જે ભાવનગરના પીવાના પાણીના સોર્સ પૈકીનું એક છે. આ બોરતળાવ ની કીમતી જમીન પર અનેક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો ખડકી દીધા છે. આ ગેરકાયદેસર દબાણો ને દુર કરવામાં આજદિન સુધી શાસક પક્ષ નિષ્ફળ રહ્યું છે. આ બાબતે મહાનગરપાલિકા ની સાધારણસભામાં અનેક વાર પ્રશ્નો પર ઉઠ્યા હતા અને જેના જવાબમાં બે મહિના માં આ દબાણો દુર કરવાની ચીમકી વિપક્ષે આપી હતી. જેમાં બે માસ વીતી જવા છતાં આ દબાણો હજુ યથાવત છે. ત્યારે આજે વિપક્ષે મેયર ની ચેમ્બર બહાર ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા અને જો આ દબાણો દુર નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

લોકોની આળસના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, બીજી વખત મુદ્દતમાં વધારો

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન યુવરાજસિંહે કહ્યું કે આ દબાણો દુર કરવાની અમોએ તૈયારી કરી નાખી છે. ત્યારે વિપક્ષ દ્વારા લીંબડ જશ ખાટવા આ ધરણા નું નાટક કરી રહી છે. આગામી દિવસોમાં આ દબાણો ચોક્કસ દુર કરવામાં આવશે.બોરતળાવના દબાણો દુર કરવા બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નિર્દેશ કરી આ દબાણો દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ સત્તાના નશામાં ચુર નેતાઓ અને  અધિકારીઓની મિલીભગત ના પાપે આ દબાણો આજદિન સુધી દુર કરવામાં આવ્યા નથી. રાજ્યવિલીનીકરણ સમયે જે સ્થિતિમાં આ તળાવ હતું તે સ્થિતિમાં ફરી સ્થાપિત કરવાના હુકમની અવગણના કરનાર આ શાસકો સામે તાકીદે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More