Home> Gujarat
Advertisement
Prev
Next

બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા વેરવિખેર; જડિયામાં તબાહીના દ્રશ્યો, ગામજનો રડી પડ્યાં

Cyclone Biporjoy: બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 2 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે.

બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા વેરવિખેર; જડિયામાં તબાહીના દ્રશ્યો, ગામજનો રડી પડ્યાં

Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ભારે તબાહી જોવા મળી છે. ધાનેરાના જડિયા ગામે વરસાદના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જડિયા ગામે 200થી વધુ મકાનોમાં નુકસાન થયું છે. તો પૂર આવતા ઘરવખખરી અને પાક તણાઈ જતા લાખોનું નુકસાન થયું છે. 

fallbacks

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; બિપરજોય વાવાઝોડા પછી તરત જ કર્યો મોટો ધડાકો

બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 2 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે. શનિવારે રાત્રે ભારે વરસાદથી ગામમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેમાં દૂધ મંડળીમાં ભારે નુકસાન સાથે ગૌશાળાની 25 ગાયોના મોત થયા હતા. તો તબાહી બાદ ગામમાં પહોંચેલા કલેક્ટરે હાલ તો લોકોને સહાયની ખાત્રી આપી છે. પરંતુ હાલ કાદવ-કીચડના સામ્રાજ્યમાં રહેવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

fallbacks

146મી રથયાત્રા: અમદાવાદમાં પહેલીવાર થશે આ ટેકનોલોજીનો ઉપયોગ, સમગ્ર એક્શન પ્લાન તૈયાર

ભારે વરસાદે બનાસકાંઠાને ઘમરોળ્યું
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યાં છે. 

fallbacks

ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી! આવતીકાલે આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં 3 ગામો સંર્પક વિહોણા બન્યાં હતાં. જેથી લોકોને હાલાકી પડી રહી છે. જોકે, ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરની પણ આવક થઈ છે. તેમજ ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકની લાશ હાથ લાગી હતી. આ ઉપરાંત ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી 15થી વધુ પશુનાં મોત થયાં હતાં.

fallbacks

ગાંધીનગરવાસીઓ આનંદો! જાણો ગટર વ્યવસ્થા-ડ્રેનેજ નેટવર્કના સંચાલનની કામગીરી હવે કોને..

10 ગામને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ
બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વહેવાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.

'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More