Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના ગુજરાત: નવા 539 કેસ નોંધાયા,535 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 539 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 535 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,19,414 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 20 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં 16, સુરતનાં 4 લોકોનો સમાવેશ થાય છે. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1639 પર પહોંચ્યો છે.

કોરોના ગુજરાત: નવા 539 કેસ નોંધાયા,535 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 539 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 535 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,19,414 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 20 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં 16, સુરતનાં 4 લોકોનો સમાવેશ થાય છે. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1639 પર પહોંચ્યો છે.

ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા લોકાયુક્ત? બે વર્ષથી ખાલી પદને ભરવા સરકારી હિલચાલ

રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,19,911 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,15,875 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 4036 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.

મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા, સાંજે પહોંચશે મહુવા

જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 6396 કેસ એક્ટિવ છે, જે પૈકી 6330 સ્ટેબલ છે. જ્યારે 66 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 18702 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1639 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા સજ્જડ બંધ, પબુ ભાની માફીની માંગણી

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 306 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 103, વડોદરામાં 43, ભરૂચમાં 12, ભાવનગરમાં 9, ગાંધીનગરમાં 8, નર્મદામાં આઠ, જામનગરમાં 7, મહેસાણા, રાજકોટ, આણંદ સુરેન્દ્રનગર, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, નવસારીમાં 3-3, મહીસાગર, ખેડા, વલસાડમાં 2-2, પંચમહાલ, કચ્છ, બોટાદ, દેવભુમિ દ્વારકા અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 539 નવા કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More