Home> Gujarat
Advertisement
Prev
Next

DPS ઈસ્ટની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં, DPS બોપલ પહોંચ્યું વાલીઓનું પ્રતિનિધિ મંડળ

DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થયા બાદ તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી. જેને લઇને DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું

DPS ઈસ્ટની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં, DPS બોપલ પહોંચ્યું વાલીઓનું પ્રતિનિધિ મંડળ

અતુલ તિવારી/ અમદાવાદ: DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થયા બાદ તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી. જેને લઇને DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતુ કે, જો પ્રવેશ નહીં મળે તો DPS ઈસ્ટના સંચાલક પૂજા શ્રોફ સામે હાઇકોર્ટમાં અરજી કરશે.

આ પણ વાંચો:- રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણીએ ધરણા પર બેઠા

DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં તેમણે DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા DPS ઈસ્ટ અને DPS બોપલ બંને સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ હોવાથી તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરી હતી.

આ પણ વાંચો:- ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી

આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓને DPS બોપલમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો વાલીઓ સ્કૂલના સંચાલક પૂજા શ્રોફ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે નિત્યાનંદકાંડ બાદથી તપાસ સમયે સ્કૂલ દ્વારા ખોટી NOC રજૂ કરાયા હોવાની વાત સામે આવી હતી એ સમયે DEO દ્વારા વાલીઓ પોતાના બાળકો અન્ય સ્કૂલમાં ખસેડી અને તે માટે એડમિશન અપાવવાની પણ બાંહેધરી અપાઈ હતી.

આ પણ વાંચો:- ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

અગાઉ DEO દ્વારા અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માટે કરાયેલી વિનંતી બાદ પણ વાલીઓએ પોતાના બાળકોને DPS ઈસ્ટમાં જ અભ્યાસ કરાવવાની જીદ પકડી રાખી હતી. આખરે હવે DPS ઈસ્ટની માન્યતા શિક્ષણ વિભાગે રદ કરી છેતરપિંડી કરવા બદલ 50 લાખનો દંડ ફટકારી દેતા વાલીઓની વધી ચિંતા મુકાયા છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખીને આ વર્ષે સ્કૂલ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે, પરંતુ એપ્રિલ 2021થી શાળા બંધ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More