પ્રેમલ ત્રિવેદી, પાટણ: લોકપ્રિય લોક ગાયક કિર્તીદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવો વાણી વિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે.
મળતી માહિતી મુજબ કિર્તીદાન ગઢવીએ ડાયરામાં નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. પાટણના નાયક સમાજના આગેવાન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પેટે અરજી દાખલ કરવામાં આવી. તથા આ અંગે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવા કહેવામાં આવ્યું.
વધુ વિગતો માટે જુઓ VIDEO...
ડાયરામાં ભોજક સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હોવાનું અરજીમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે કિર્તીદાન ગઢવી જાહેરમાં સમાજની માફી માંગે તેવી તેમને અપીલ કરવામાં આવી છે. જો તેઓ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે