અમદાવાદ : ગુજરાતમાં ચાર મોટાં શહેરોના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તાર અને જિલ્લાઓમાં દુકાનો ખોલવા માટે આપેલી છૂટના નિર્ણય અંગે લોકોમાં ભારે મતમતાંતર હતું. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતા સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સાડા 6 કરોડ ગુજરાતીઓ મારા ઇષ્ટદેવ છે અને એમની સેવા એ જ મારો ધર્મ છે.
લોકડાઉન ખોલવા મુદ્દે સીએમએ સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ખોલ્યું છે અને હોટ સ્પોટ ત્રીજી મે પછી પણ નહીં ખુલે. કોઈ જ્ઞાતિ કે સમાજને સમર્થન આપવા માટે દુકાનો ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો અને લોકડાઉન ખોલવાની કોઈ ઉતાવળ નથી કરી.
દુકાનો ખુલવા મુદ્દે સીએમ રૂપાણી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે અત્યારે કોરોના વાયરસનો રિકવરી રેટ ગુજરાતમાં 60 ટકા છે. આ સિવાય રમઝાનમાં દુકાનો ખોલી તે વાત ખોટી છે અને કોરોના મુદ્દે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે.
સીએમ વિજય રૂપાણીના લાઇવની હાઇલાઇટ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે