Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. 

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કેતન બગડા, અમરેલી: રાજુલા (Rajula) અને જાફરાબાદ (Jafrabad) તાલુકાના જમીની તથા દરિયાઈ પ્રદેશોની મુલાકાત લઈ વિવિધ ક્ષેત્રે થયેલી તારાજીને લઈને સર્વે કરાયો હતો. કેન્દ્રના વિવિધ વિભાગોના સચિવોની ટીમે આજે અમરેલી (Amreli) જિલ્લાના તોકતે (Tauktae Cyclone) વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકશાની અંગે માહિતી મેળવી હતી.

રાજુલા (Rajula) તાલુકાના કોવાયા ગામે કલેકટર આયુષ ઓકએ કેન્દ્રીય ટીમ સમક્ષ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતા કહ્યું હતું કે વાવાઝોડા (Cyclone) માં ધરાશાયી થયેલા 649 વીજ ટાવરો પૈકી 500 થી વધુ ટાવરો તાત્કાલિક કાર્યરત કરાયા છે અને રાજુલા (Rajula) શહેરમાં ક્રમશઃ હોસ્પિટલ, સરકારી ઓફિસો, બેંક અને રહેણાક વિસ્તારોમાં વીજળી આપવામાં આવી રહી છે. 

જ્યારે વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના કામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે, તે ઉપરાંત પાણી પૂરવઠા બોર્ડના ટેન્કર દ્વારા ગ્રામ પંચાયતના સંકલનમાં રહીને પ્રતિ વ્યક્તિ દૈનિક 70 લીટરના ધોરણે પાણી વિતરણ સત્વરે શરૂ કરાયું છે. 

લ્યો બોલો- જમીનના એક ટુકડા માટે સરકારના જ બે વિભાગો આમને-સામને આવી ગયા, મામલો પોલીસ સુધી પહોંચ્યો

જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું હતું કે શિયાળ બેટ ટાપુ ખાતે આવેલા 22 પૈકી 15 પાણીના સંપ વાવાઝોડા (Cyclone) પહેલા જ પાણીથી પૂરેપૂરા ભરી દેવાયા હતા, જેનાથી શિયાળબેટ ખાતે પીવાના પાણીની ઓછામાં ઓછી તકલીફ પડી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં લેવાયેલા સાવચેતીના પગલાંને લીધે જાનહાની ટાળી શકાઈ છે.

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. રોહિસા ગામના સરપંચ વીજાણંદભાઈ વાઘેલાએ વિવિધ વિસ્તારોમાં લઈ જઈને કેન્દ્રની ટીમને વાવાઝોડાથી થયેલી તબાહી અંગે વાત કરી હતી. ટીમે સિમેન્ટ પ્લાન્ટ, રામવાડી વિસ્તાર, પીપરી કાંઠાના વિવિધ વિસ્તારો તથા જેટીની પણ મુલાકાત લીધી હતી.

કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું ભુજમાં નિધન, CM એ આપી શ્રદ્ધાંજલિ

આ વિસ્તારના નાગરિકોની આજીવિકા અને જીવન ધોરણ વિશે પણ કેન્દ્રિય ધીમે સઘન પૂછપરછ કરી હતી તથા ડુંગળીના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, સ્ટોરેજ કેપેસિટી તથા અન્ય લઘુ ઉદ્યોગો વિશે પણ વિગતવાર જાણકારી મેળવી હતી. નાના સીમાંત ખેડુતોને થયેલા નુકસાનનું મહત્તમ વળતર ચૂકવવા વિશે પણ માનવીય ધોરણે કાર્યવાહી કરવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અનોખો કીમિયો, તેલનો ડબ્બો કટર વડે કાપતાં પોલીસ ચોંકી ઉઠી

આ મુલાકાતમા ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ  પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક  મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક જીતેશ શ્રીવાસ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી રાજીવ પ્રતાપ દૂબે, રાજ્ય સરકારના રિલીફ કમિશનર હર્ષદકુમાર પટેલ, અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More