Home> Gujarat
Advertisement
Prev
Next

15 દિવસ પહેલા મૃત્યું પામેલા બાળકને સ્મશાનમાં દફન કર્યું, હવે થયું ગાયબ

પંચમહાલનાં ગોધરા સ્મશાનગૃહમાં દફન કરેલું બાળક ગાયબ થવાની ઘટના સામે આવી હતી.

15 દિવસ પહેલા મૃત્યું પામેલા બાળકને સ્મશાનમાં દફન કર્યું, હવે થયું ગાયબ

ગોધરા: પંચમહાલનાં ગોધરા સ્મશાનગૃહમાં દફન કરેલું બાળક ગાયબ થવાની ઘટના સામે આવી હતી. ગોધરા હિન્દુ બાળ સ્મશાનમાંથી દફન બાળક ગાયબ થતા પોલીસ દોડતી થઇ હતી. બાળકનાં મૃતદેહને ખાડો ખોદી ઉઠાવી જવાની ઘટના બની હતી. મહત્વનું છે કે અગાઉ 15 દિવસ પહેલાં મૃત બાળકની દફનવિધિ કરાઇ હતી.

દફન કરેલા બાળકને 15 દિવસ બાદ ખાડો ખોદીને કોઇ લઇ જતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ ઘટનાને પગલે બાળકનાં પિતાએ ગોધરા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ગોધરા એ ડિવિઝન પોલીસે દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી છે. આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો સ્મશાનમાં ઘસી આવ્યા હતા.

વધુ વાંચો...PM મોદીની આ પ્રથા બંધ કરવી રૂપાણી સરકારને પડી ભારે, મુખ્યમંત્રીને સંકટ મોચનની ખોટ

પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા શંકા કરવામાં આવી હતી, કે આ વિસ્તારોમાં તાંત્રિક વીધીઓ થતી હોવીથી આ બાળકના મૃતદેહનો ઉપયોગ પણ તાંત્રિક વીધિ માટે કરવામાં આવ્યો હોય શકે છે. અગાઉ પણ આ ગોધરાના આ વિસ્તારોમાં આ પ્રકારની ઘટાનાઓ સામે આવેલી હોવાથી પોલીસે શંકાના અધારે તપાસ શરૂ કરી દીધી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More