Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર : શિકારી રોડ પર કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, ચાર યુવકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા

જામનગરમાં શાપર પાસે કાના શિકારી રોડ પર મોટો અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે, ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ત્રણ યુવાન અને એક બાળકનું મોત નિપજ્યું છે. એક જ ગામના ચાર લોકોના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

જામનગર : શિકારી રોડ પર કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, ચાર યુવકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા

મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં શાપર પાસે કાના શિકારી રોડ પર મોટો અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે, ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ત્રણ યુવાન અને એક બાળકનું મોત નિપજ્યું છે. એક જ ગામના ચાર લોકોના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

Breaking : ગોધરા હત્યાકાંડ બાદના સરદારપુરા નરસંહારમાં 14 દોષિતોને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા

નવાગામમાંથી નીકળેલી કાર અને બાઈક સામસામે ભટકાયા હતા. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે, કાર અને બાઈક બંનેનું કચ્ચરધાણ નીકળી ગયું હતું. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તે હજી માલૂમ પડ્યું નથી. જેની તપાસ ચાલી રહી છે. અકસ્માતમાં નવાગામના કુલદીપ ગોરધન સોનરત (ઉ.વ.21), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ.વ.14), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.22) અને અન્ય એક યુવકનું મોત નિપજ્યું છે. 

જોકે, અકસ્માત બાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગામના જુવાનજોધ યુવકોના મોતથી અનેક ઘરોમાં રોકકકળ મચી ગઈ હતી. આ રોડ જામનગરથી ખંભાળિયા તરફ રોડ છે. જે હંમેશા ટ્રાફિકથી વ્યસ્ત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More