Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ હવે કોર ઉંદરોની પાર્ટી : દીકરા સામે જ ગુજરાતમાં બાપે મોરચો માંડ્યો, કહ્યું-આગેવાન નથી સાચવજો

Gujarat BTP Leader Join BJP With Supporter : BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, પુત્રએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવા નારાજ થયા.... વીડિયોમાં વિરોધ વ્યક્ત કર્યો 

ભાજપ હવે કોર ઉંદરોની પાર્ટી : દીકરા સામે જ ગુજરાતમાં બાપે મોરચો માંડ્યો, કહ્યું-આગેવાન નથી સાચવજો

loksabha elections : ગુજરાતમાં ભરૂચ લોકસભાની ચૂંટણી ધીમેધીમે જામી રહી છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ચૈતર વસાવા આ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપ આદિવાસી નેતાનો તોડ શોધી રહી છે. આજે બીટીપીના મહેશ વસાવા સહિતના કેટલાક આદીવાસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. એક સમયે ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીમાંથી મહેશ વસાવાએ જીત મેળવી હતી. એ બેઠક પર આજે ચૈતર વસાવા ભાજપના ધારાસભ્ય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ચૈતર વસાવાને ઘરભેગા કરવા માગે છે. એટલે જ બીટીપીના નેતાઓ માટે લાલજાજમ પાથરી રહી છે. જોકે, આજે મહેશ વસાવાના પિતા અને બીટીપીના એક સમયના સ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરોની પાર્ટીગણાવી હતી અને દીકરાને પણ છોડ્યો ન હતો. 

છોટુ વસાવા એ આદિવાસી સમાજના નેતા
મહેશ વસાવાએ જાહેરમાં કહ્યું હતું કે એમના પિતાની આમાં મરજી છે પણ છોટું વસાવાએ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને દીકરાની ચાલને ઉંધી વાળી દીધી છે. મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. જેમાં પિતાની સીટ પરથી દીકરાએ પણ લડવાની જીદ કરી હતી. આખરે સમાધાન થયું હતું પણ આ બેઠક તેઓ જીતી શક્યા ન હતા. છોટુ વસાવા એ આદિવાસી સમાજના નેતા છે. એમનો પડ્યો બોલ અહીં ઝિલાય છે પણ હવે બાપ અને દીકરા વચ્ચેના મતભેદો સામે આવી ગયા છે. હવે ભાજપને કેટલો ફાયદો થાય છે એ તો આગામી સમય જ બતાવશે આજે છોટુ વસાવાએ એક વીડિયો વાયરલ કરીને ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. છેલ્લા લગભગ ચાર દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ દરમિયાન તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણી જંગમાં ઊતર્યા છે.

ભાજપનો સૌથી મોટો ભરતી મેળો : રાજકારણના 5 મોટા માથાના એકસાથે કેસરિયા, 2500 જોડાયા

ક્યારેય સાંસદ નથી બની શક્યા
1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી, કારણ કે ભરૂચમાં કૉંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે." ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 27 અનુસૂચિત જનજાતિ માટે અને શિડ્યુલ્ડ કાસ્ટ માટે 13 બેઠક અનામત છે, જ્યારે 142 બિન-અનામત છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસતી 16થી 17 ટકા છે.

ઉંદરની જેમ બીજી પાર્ટીના નેતાઓને કોતરી રહી છે
ભારતમાં સામાન્ય લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ સમયે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. ગુજરાતમાં ઓપરેશન લોટસને પગલે કદાવર નેતાઓ ભાજપમાં લવાઈ રહ્યાં છે. આ સમયે ગુજરાતના કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરની પાર્ટી ગણાવી છે. વસાવાએ કહ્યું છે કે જેમ ઉંદર ધીમેધીમે ફોલીને કોતરી ખાય તેમ ભાજપ પાર્ટી ઉંદરની જેમ બીજી પાર્ટીના નેતાઓને કોતરી રહી છે. એ પહેલાં એ લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા ચોર છે બીજી પાર્ટીઓવાળા ચોર છે. દેશના હક અને સંવિધાનને ખાઈ જવાનું આ ષડયંત્ર છે. ભાજપ એકતરફી ચૂંટણી કરવા માગે છે. તેઓ બીજી પાર્ટીમાં કદાવર નેતાઓ રહેવા દેવા માગતા નથી.

અમદાવાદમા અહીં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાયઓવર, ઉંચકાશે પ્રોપર્ટી માર્કેટ

એ લોકોનું ખનીજ લૂંટવા માટેનું આ ષડયંત્ર
છોટુ વસાવાએ વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે, આજે ગાંધીનગરમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. મારા ત્યાંથી પણ કેટલાક નેતાઓ ગયા છે. આ પહેલાં ટ્રાયબલના હકોની વાતો કરી રહ્યાં હતા. જેમાં મારો દીકરો પણ છે. એ એટલા માટે ગયા છે. અહીં જે ખનીજ નીકળવાના છે, જે કોલસો નીકળવાનો છે. એ કોલસાની ચોરી કરવાના સ્વરૂપે એ લોકો ભરતી થઈ રહ્યાં છે. હું પ્રજાને સંદેશો આપવા માગું છું કે, એ લોકોનું ખનીજ લૂંટવા માટેનું આ ષડયંત્ર છે. એટલે ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગ્રામસભા બનાવીને આ કોર ઉંદરોથી બચવા માટે પોતાની રીતે તમે રક્ષણ કરો અને આ કોઈ આગેવાનો નથી એ બધા કોર ઉંદરો છે એમને પ્રજાની સાથે કોઈ લેવા દેવા નથી. સજાગ થઈ જાઓ, ભાજપ કોઈ દેશનું તારણહાર નથી. 

ગુજરાતની 11 બેઠક માટે દિલ્હીમાં મંથન, એક બેઠક પર ચોંકાવનારો ફેસ જોવા મળે તો નવાઈ નહિ

ભાજપના સાંસદ હવે બોલો
તમે બધા જઈને પ્રજાને લૂંટવાના છે. અત્યારસુધી આદિવાસીઓના હક આપવાની વાતો કરતા લોકો કોર ઉંદરની ભૂમિકામાં આવે એટલે નવાઈ લાગે. અગાઉ કેટલાક સભ્યો ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના સાંસદ મનુસુખ વસાવાએ કહ્યું હતું કે આ બધા કોર ઉંદરો ફોલી ખાવા માટે આવ્યા છે. શું હવે નવા ભરતી થયા છે તો મનસુખ ભાઈ આ બધા કોર ઉંદરોને રોકશે એ મારો સવાલ છે. આમ એક દીકરા સામે જ પિતાએ મોરચો માંડ્યો છે. છોટુ વસાવાના વીડિયોને પગલે આદિવાસી સમાજ મહેશ વસાવાને કેટલો સ્વીકારશે એ સૌથી મોટો પ્રશ્ન છે.

ઊલટી ગણતરી શરૂ કરી દો, ફરી બદલવા જઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More