Home> Gujarat
Advertisement
Prev
Next

Salangpur Temple Controversy: સંતોનું મહાસંમેલન! ભગવાનના ભીંતચિંત્રો પર ફરસીથી હુમલો, વિવાદ પલિતો ચાંપશે

Salangpur Temple Controversy: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે.

Salangpur Temple Controversy: સંતોનું મહાસંમેલન! ભગવાનના ભીંતચિંત્રો પર ફરસીથી હુમલો, વિવાદ પલિતો ચાંપશે

Salangpur Temple: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડી ફરસીથી હુમલો કર્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ આ કાળો કલર વ્યક્તિની અટકાયત પણ થઈ છે. આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. 

સંતોનું સંમેલન
હનુમાનજીના ચિત્ર અને મૂર્તિના વિવાદ બાદ હવે સંત સંમેલન મળશે. 7 સપ્ટેમ્બરે લીંબડીમાં સંતો ભેગા થશે સંતો. સાળંગપુર વિવાદ પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

કલર ચોપડનારી વ્યક્તિની અટકાયત
મળતી માહિતી મુજબ ભીત ચિંત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડવામાં આવતા વિવાદ થયો છે. હાલ બોટાદના એસપી કિશોર બળોલિયા સાળંગપુર પહોંચ્યા છે. એલ.સી.બી,એસ.ઓ.જી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો છે. હર્ષદ ગઢવી (રહેવાસી ચારણકી ગામ હાલ ઢસા ગામ)ની અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિએ ભીતચિંત્રો પર કલર કર્યો અને તોડફોડ કરી છે. 

બાઉન્સર ગોઠવવામાં આવ્યા
આ ઘટનાના પગલે મંદિર પ્રશાસન દ્વારા કડક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર ના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મદિર વિભાગ દ્વારા 54 ફૂટ પ્રતિમા વાળો સમગ્ર વિસ્તાર કોડન કરી દેવામાં આવ્યો છે. પહેલા માત્ર ને માત્ર મૂર્તિ પાસેનો વિભાગ કોડન કરવામાં આવ્યો હતો.વિવાદ વકરતા હાલ સમગ્ર 54 ફૂટ મૂર્તિ વાળો વિસ્તાર કોડન કરવામાં આવ્યો. હરિભક્તોને દૂરથી કરવા પડશે દર્શન અને સેલ્ફી પાડવી પડશે

કરણી સેના પણ મેદાનમાં
સારંગપુરમાં ભીંતચિત્રોને લઈને શરૂ થયેલા વિરોધ વિવાદ હવે સુરત લગી પહોંચ્યો છે. સુરત કરણી સેના સારંગપુરમાં હલ્લા બોલ કરશે. સાળંગપુર વિવાદિત પ્રતિમાં લઈને સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભીતચિત્રોને લઈને સાધુ-સંતો બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને છે. કરણી સેનાના રાજ શિખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છેકે, બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More