Home> Gujarat
Advertisement
Prev
Next

વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ શપથ લીધા

વિજય મુહૂર્તમાં ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ શપથ લીધા
  • તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે.
  • કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. તો તેઓએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ લીધા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ 12:39 મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજરી આપી હતી.

આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી

કરજણના અક્ષય પટેલ મોડા પહોંચ્યા 
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોએ વિજય મેળવ્યો હતો. ત્યારે આજે તમામ 8 બેઠકના ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સામે સોગંધ લીધા હતા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યંમત્રી, ગૃહરાજ્ય મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. તો તેઓએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ લીધા હતા. આ સાથે જ ભાજપના 111 અને કોંગ્રેસના 65 ધારાસભ્યો થયા છે. 

આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં 111 બેઠકોના અંક ઉપર પહોંચી છે. તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે. વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરિટસિંહ રાણાનો વિજય થયો છે.

આ પણ વાંચો : વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી

સોશિયલ ડિન્સન્સિંગ સાથે સમારોહ યોજાયો 
કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજાશે. 

આ પણ વાંચો : પાવાગઢ દર્શને જઈ રહેલા યાત્રીઓની ગાડીને વડોદરામાં ગંભીર અકસ્માત, 11 ના મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More