Home> Gujarat
Advertisement
Prev
Next

આ રીતે 6900 વર્ષ પહેલા કચ્છની સિંધુ સભ્યતાનો થયો હતો અંત, મોત કયામત બનીને આકાશમાંથી વરસ્યુ હતું

Gujarat Asteroid Luna Crater: 6900 વર્ષ પહેલા કચ્છની સિંઘુ ઘાટી સભ્યતા પર મહાકાય ઉલ્કા પડી હતી, ઉલ્કાપાતને કારણે આ સભ્યતા નાશ પામી હતી, ઉલ્કાના પડવાના કારણે કચ્છના લુનામાં 1.88 કિમી પહોળો ખાડો છે

આ રીતે 6900 વર્ષ પહેલા કચ્છની સિંધુ સભ્યતાનો થયો હતો અંત, મોત કયામત બનીને આકાશમાંથી વરસ્યુ હતું
Updated: Apr 30, 2024, 10:40 AM IST

Indus Valley civilization Luna Crater: ગઈકાલે નાસાએ કચ્છમાં પડેલા ઉલ્કાપીંડ વાળી જગ્યાની અંતરિક્ષમાંથી ક્લિક કરેલી તસવીર શેર કરી હતી. આ તસવીરથી કચ્છનું લૂના ક્રેટર ફરીથી ચર્ચામાં આવ્યું છે. ગત વર્ષે કેરળની યુનિવર્સિટીના રિસર્ચરની મદદથી આ સમગ્ર માહિતી બહાર આવી હતી. જેનાથી માલૂમ પડ્યુ હતું કે, અહી લગભગ 6900 વર્ષ પહેલા મહાકાય ઉલ્કાપિંડ પડ્યો હતો. જેને કારણે આ વિસ્તારમાં રહેતી સિંઘુ ઘાટીની સભ્યતાનો નાશ થયો હોઈ શકે છે. લુના ક્રેટર 2006 ની આસપાસ મળી આવ્યું હતું. તે લગભગ 11 મહિના સુધી સિંધુ નદી અને અરબી સમુદ્રના પાણીમાં ડૂબી રહે છે. આ ખાડો પ્રાચીન હડપ્પન સ્થળની નજીક પણ છે. ઉલ્લેખનીય છે, દુનિયાનો સૌથી મોટા વાસુકી નાગના અવશેષો પણ તાજેતરમાં કચ્છની જમીનમાંથી મળી આવ્યા છે. 

પૃથ્વી પર વિશાળ ઉલ્કાઓ પડવાને કારણે પ્રાણીઓ અને છોડના લુપ્ત થવાના વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ છે. પરંતુ શું ઉલ્કાપાતને કારણે માનવ સભ્યતાનો ક્યારેય અંત આવ્યો છે? ભારતીય વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉકેલી નાંખ્યું છે. ગુજરાતના કચ્છમાં એક વિશાળ ખાડોના નમૂનાનો અભ્યાસ ચાલી રહ્યો છે, જે ઉલ્કાના પતનને કારણે રચાયો હતો. 

અમસ્તા જ આ બેઠક પર મોદીની પહેલી સભા નથી ગોઠવાઈ, અહીં ભાજપ કોંગ્રેસ કરતા છે પાછળ

વૈજ્ઞાનિકોને 4 વર્ષની મહેનત બાદ સેમ્પલ મળ્યું
કેરળ યુનિવર્સિટીના સંશોધકોને ચાર વર્ષ લાગ્યાં પરંતુ આખરે તેઓએ વૈજ્ઞાનિક 'ખજાનો' - પીગળેલા ખડકો પર હાથ અજમાવ્યો. વિજ્ઞાનની ભાષામાં તેને મેલ્ટ-રોક એટલે કે પીગળેલા ખડક કહે છે, જે ઉલ્કાપિંડનો એક ભાગ છે. તે ઉલ્કાના પતન દ્વારા રચાય છે. આ પીગળેલા ખડક કચ્છમાં આવેલા લુના નામના નાના વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ પીગળેલા ખડકોની કાર્બન ડેટિંગ દર્શાવે છે કે ઉલ્કાઓ લગભગ 6,900 વર્ષ પહેલાં પડી હતી. લગભગ એ જ સમય જ્યારે તે વિસ્તારમાં સિંધુ ખીણની સંસ્કૃતિ ખીલી રહી હતી. હવે સંશોધકો અને તમામ શૈક્ષણિક નિષ્ણાતો સમક્ષ સળગતો પ્રશ્ન એ છે કે શું તે ઉલ્કાની સિંધુ ખીણની સંસ્કૃતિ પર કોઈ અસર પડી હતી કે નહિ.

આ ઉલ્કા સિંધુ ખીણની પ્રખ્યાત સાઇટ ધોળાવીરાથી 200 કિલોમીટર દૂર પડી હતી!
કેરળ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજિન કુમાર કે. એસએ માહિતીઆપી હતી કે, જ્યાં ઉલ્કાઓ પડી તે લુના છે, પરંતુ પ્રસિદ્ધ સિંધુ ખીણની સંસ્કૃતિ સ્થળ ધોળાવીરા (જ્યાં ખોદકામ દરમિયાન સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા) તેનાથી માત્ર 200 કિલોમીટર દૂર છે. લુનામાં 2 કિલોમીટર લાંબો ખાડો છે અને અહીં જે ઉલ્કાઓ પડી હશે તેનું કદ 200-400 મીટર હશે. આપણે હંમેશા ઉલ્કાપાતને કારણે છોડ અને પ્રાણીઓના લુપ્ત થવાની વાત કરીએ છીએ, પરંતુ માનવ સભ્યતા પર તેની ક્યારેય અસર થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી. તેથી, આ એ દિશામાં એક અભ્યાસ છે કે શું ઉલ્કાપાતને કારણે કોઈ માનવ સંસ્કૃતિનો સંભવતઃ નાશ થયો હતો.'

કુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગ

પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સ જનરલમાં પ્રકાશિત થયું છે કે, લોખંડની ઉલ્કાના પડવાના કારણે લુનામાં 1.88 કિમી પહોળો ખાડો છે. જે ઉલ્કાઓ પડી હતી તેનો વ્યાસ 200 મીટર જેટલો હોવો જોઈએ. 

ભારતમાં ઉલ્કાપાતથી બનેલો ચોથો વિશાળ ખાડો શોધાયો
ઉલ્કાઓ આગના ગોળા જેવી હોય છે. તેમના પતનને લીધે, નજીકની દરેક વસ્તુ પીગળી જાય છે. લુનામાંથી લીધેલા નમૂનાઓમાં ઉચ્ચ-તાપમાનના ખનિજો જેવા કે વુસ્ટાઇટ, કિર્સ્ટાઇનાઇટ, અલ્વોસ્પિનલ અને હર્સાઇનાઇટ હોય છે. લુનામાં મળેલો વિશાળ ખાડો એ ભારતમાં મળી આવતા ઉલ્કાના પડવાથી બનેલા ખાડોનો ચોથો કિસ્સો છે. લુનામાં પડેલી ઉલ્કાઓ સમય ગાળાની દૃષ્ટિએ ભારતમાં પડેલી ઉલ્કાઓમાં સૌથી નાની છે. અત્યાર સુધી જે ચાર ઉલ્કાઓ પડી છે. ભારતમાં અન્ય સ્થાનો જ્યાં ઉલ્કાના પતનથી વિશાળ ખાડો બન્યો છે તે છે - ધલા (મધ્યપ્રદેશ), રામગઢ (રાજસ્થાન) અને લોનાર (મહારાષ્ટ્ર).

રાતોરાત હર્ષ સંઘવી રિલાયન્સના પરિમલ નથવાણીને મળવા પહોંચ્યા, મોડી રાત સુધી ચાલી બેઠક

ઉલ્કાના કદ કરતાં 10-20 ગણા ક્રેટર્સ રચાય છે
ઉલ્કાઓમાંથી બનેલા ક્રેટર તેમના કદ કરતા 10-20 ગણા મોટા હોય છે. કેરળ યુનિવર્સિટીની ટીમે 1 મીટરનો ખાડો ખોદ્યો હતો અને માત્ર 10 સેન્ટિમીટરની ઊંડાઈએ નમૂનાઓ મળ્યા હતા. આ સૂચવે છે કે આ સૌથી નાનો ખાડો છે. સાજીન કુમાર સમજાવે છે, 'આ સિંધુ નદીનો સક્રિય વિસ્તાર છે. તેથી, આ વિસ્તારમાં ઘણી નદીઓમાંથી કાંપ વહે છે. અમને ખૂબ જ છીછરી ઊંડાઈએ એક નમૂનો મળ્યો જે દર્શાવે છે કે આ ખાડો સૌથી નાનો છે. અમે સેમ્પલ લેવા માટે આ વિસ્તારમાં ચાર વખત ગયા હતા. ભેજવાળી જમીન હોવાને કારણે નમૂનાઓ એકત્ર કરવા ખૂબ જ મુશ્કેલ હતા. પરંતુ અમે જુલાઈ 2022 માં નસીબદાર હતા. અમને પરીક્ષણ માટે સૂકા નમૂના મળ્યા હતા. લુના વિશે એવું કહેવાય છે કે ઉલ્કાના પડવાથી ખાડો સર્જાય છે. પરંતુ એ જરૂરી નથી કે પૃથ્વી પર જે વિશાળ ખાડો રચાયો છે તે ઉલ્કા પિંડને કારણે થયો હતો. જ્વાળામુખી ફાટવાને કારણે આવા ખાડાઓ પણ બને છે.

સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે ઉલ્કા પિંડ લગભગ 6900 વર્ષ પહેલા ટકરાઈ હતી. જેના કારણે આવા આંચકાના મોજાં ઊભા થયા હશે, જે પાંચ કિલોમીટરના અંતર સુધી પહોંચી ગયા હશે. જંગલની આગનો વ્યાપ આના કરતા ઘણો મોટો બન્યો હશે. ઉલ્કાઓ દ્વારા છોડવામાં આવેલી રાખ અને ધૂળને કારણે ઘણા દિવસો સુધી સમગ્ર વિસ્તારમાં સૂર્યપ્રકાશ ઝાંખો પડી ગયો હશે.

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે