ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર કરાયો છે. હેવ ઇન્ટિગ્રેટેડ બીએસ અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત માન્ય ગણાશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જોગાવાઈને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે જોગવાઇમાં ફેરફાર કરાયો છે. ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક સહાયકોની ભરતીમાં પણ ઈન્ટિગ્રેટેડ બીએડ કે એમએડ માન્ય રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના નિર્ણય
અત્રે જણાવીએ કે, ઇન્ટિગ્રેટેડ B.Ed અને ઇન્ટિગ્રેટેડ M.Edની લાયકાત ધરાવાતા ઉમેદવારો હવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે. જે રાજ્ય સરકારના નિર્ણયથી અનેક ઉમેદવારોને લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે