Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય; ગાંધીનગર શહેરની ગટર વ્યવસ્થા અને ડ્રેનેજ નેટવર્ક મુદ્દે શું લેવાયો મોટો નિર્ણય?

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ-2010માં થઈ તે પહેલાંથી હાલ સુધી આ સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય; ગાંધીનગર શહેરની ગટર વ્યવસ્થા અને ડ્રેનેજ નેટવર્ક મુદ્દે શું લેવાયો મોટો નિર્ણય?

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરના ડ્રેનેજ નેટવર્કના સુવ્યવસ્થિત વ્યવસ્થાપનની જરૂરિયાત ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ​મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગાંધીનગર શહેરની ડ્રેનેજલાઈન નેટવર્કના સંચાલન, મરામત અને નિભાવણીની કામગીરી માર્ગ-મકાન વિભાગને બદલે હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; બિપરજોય વાવાઝોડા પછી તરત જ કર્યો મોટો ધડાકો

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ-2010માં થઈ તે પહેલાંથી હાલ સુધી આ સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલની  વ્યવસ્થા મુજબ ગાંધીનગરના સેક્ટર 1થી 30 તેમ જ તેમાં સમાવિષ્ટ 7 ગામો બોરીજ, પાલજ, વાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકળપુરામાં દરરોજ એવરેજ કુલ 66 એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ થયા બાદ થતા ડ્રેનેજના પાણીના જથ્થાને રહેવાસીઓના ઘરેથી એકત્રિત કરીને મુખ્ય ડ્રેનેજ પાઈપલાઈન દ્વારા સરગાસણ અને જાસપુરના એસ.ટી.પી.માં યોગ્ય ટ્રિટમેન્ટથી શુદ્ધ કરવા પહોંચાડવામાં આવે છે.

ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી! આવતીકાલે આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ આશરે 430 કિ.મી. લંબાઈની સેવરેજ નેટવર્ક પાઈપલાઈન છે. ગાંધીનગરમાં વર્તમાન અને ભવિષ્યની ડ્રેનેજ પાણીના નિકાલની જરૂરિયાતોને અનુસરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે માર્ગ-મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ભૂગર્ભ ગટરના નવિનીકરણની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે.

'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ...

પ્રથમ તબક્કે સેક્ટર 15થી 30 માટે હાઉસ કનેક્શન સાથે તમામ ગ્રેવિટી ડ્રેનેજ નેટવર્ક બદલી નાખવાની તેમ જ સેક્ટર 1થી 14 માટે રિંગ રોડ સાથે જોડાયેલી મુખ્ય લાઈન સાથે રિંગ રોડના ડ્રેનેજ નેટવર્ક બદલવાની કામગીરી સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં ગાંધીનગરના ક, ખ, ગ, ઘ અને ચ રોડમાંથી પસાર થતી મુખ્ય લાઈનમાંથી ડ્રેનેજના પ્રવાહને પસાર કરીને સરગાસણ એસ.ટી.પી. પ્લાન્ટમાં મોકલવા તેમ જ નવા વસેલા સેક્ટરો 1થી 14માં પાઈપલાઈન નાખવાની કામગીરી અને પમ્પિંગ સ્ટેશન સહિત સ્કાડા સિસ્ટમ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં..

રાજ્યના અન્ય મહાનગરોમા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી મહાનગર પાલિકાઓ પાસે છે તે જ પ્રમાણે આ ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી પણ હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. આના પરિણામે ગાંધીનગરમાં ગટર વ્યવસ્થાનું હેન્ડલિંગ મહાનગર પાલિકાને તબદીલ થતાં સિટી સેવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવીને સેનિટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા સાથે નાગરિકોને સારી સેવા પૂરી પાડી શકાશે.

કુદરત રૂઠી...આ વિસ્તારના ખેડૂતોને આવ્યો રોવાનો વારો: હવે સરકાર ક્યારે મદદ કરશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More