Home> Gujarat
Advertisement
Prev
Next

અમીરો ગરીબોના હકનું ખાઈ ગયા, રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં કરાયું મોટું કૌભાંડ

RTE Admission : ગયા વર્ષે ધો.1 ભણી ચૂકેલા બાળકોનો આ વર્ષે ફરી પ્રવેશ ફાળવાયો હોય એવા રાજકોટમાં 400થી 500 બાળકો છે. વાલીઓએ નામના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરીને અથવા જન્મતારીખ બદલીને ફોર્મ ભર્યું હતું

અમીરો ગરીબોના હકનું ખાઈ ગયા, રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં કરાયું મોટું કૌભાંડ
Updated: May 21, 2023, 09:44 AM IST

Right To Adimission : થોડા સમય પહેલા રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન અપાવવા માટે એજન્ટ્સ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે હવે નવો ખુલાસો થયો છે. રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશનનનું નવુ કૌભાંડ સામે આવ્યું છે. આ યોજના હકીકતમાં પછાત અને ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટેની છે. પરંતું હવે ધનવાન પરિવારના વાલીઓ પોતાના સંતાનોને આ રીતે એડમિશન અપાવી રહ્યાં છે. અમીર પરિવારો તેનો લાભ લઈ રહ્યાં છે. એક આંકડો સામે આવ્યો છે કે, ગુજરાતમાં 4500 થી વધુ આર્થિક સદ્ધર પરિવારના બાળકોએ RTE હેઠળ ધોરણ-1 માં પ્રવેશ લીધો છે. તો ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 500 બાળકોએ એડમિશન મેળવ્યું છે. આ આંકડો ચોંકાવનારો છે.  

RTE માં એડમિશન કરાવવા એજન્ટ મળે તો સાવધાન, આ નંબર પર તાત્કાલિક ફોન કરજો

વાલીઓએ સ્પેલિંગ અને જન્મતારીખ બદલી નવુ ફોર્મ ભર્યું 
રાઈટ ટુ એજ્યુકેશનમાં હાલ મસમોટા કૌભાંડો ચાલી રહ્યાં છે. એજન્ટ રાજ બાદ હવે નવા કૌભાંડનો આંકડો ચોંકાવનારો છે. ગુજરાતભરની અનેક શાળાઓમાં વાલીઓએ તેમના સંતાનોને આ રીતે પ્રવેશ અપાવ્યો છે. ગુજરાતમાં આવા અંદાજે 4500 કે તેથી વધુ બાળકો છે. ગયા વર્ષે ધો.1 ભણી ચૂકેલા બાળકોનો આ વર્ષે ફરી પ્રવેશ ફાળવાયો હોય એવા રાજકોટમાં 400થી 500 બાળકો છે. વાલીઓએ નામના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરીને અથવા જન્મતારીખ બદલીને ફોર્મ ભર્યું હતું. શાળા કક્ષાએ હવે ચકાસણી કરીને આવા પ્રવેશ રદ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાવવા જોઈએ. પરંતુ તેમ છતા કોઈ પગલા લેવાતા નથી. આવા લોકોનું ફોર્મ પણ માન્ય થઈ રહ્યું છે, તેમને સરકાર દ્વારા પ્રવેશ પણ ફાળવી દેવાયો, સ્કૂલ પણ ફાળવી દેવામાં આવી.

એડમિશનનો આ નિયમ પણ જાણી લેજો, શાળા ગમે ત્યારે માંગશે વાલી પાસેથી આ સર્ટિફિકેટ

રાઈટ ટુ એજ્યુકેશનમાં એજન્ટ રાજ 
રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ એજન્ટ રાજ વ્યાપી ચૂક્યું છે.  RTEમાં એડમીશન અપાવવાના નામે એજન્ટો સક્રિય થયા છે. RTE CAFE નામની આ વેબસાઈટ તેનો પુરાવો છે. પરંતું RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ફરિયાદ કરી શકાશે. કોઈની સાથે નાણાંની લેવડ-દેવડ ન કરવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. મનગમતી સ્કૂલમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી તેવુ પણ કહ્યું. હેલ્પલાઈન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.   આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. હેતલ સોની નામની વ્યક્તિ RTE CAFE નામની આ વેબસાઈટની સ્થાપક હોવાનું જણાવાયું છે. વેબસાઈટ પર એક યુવતીનો ફોટો પણ છે. 

ઓનલાઇન કામવાળી શોધનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં લાખો લઈને રફુચક્કર થઈ

શાળા માંગશે વાલી પાસેથી સર્ટિફિકેટ
RTE અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે મોટી ખબર સામે આવી છે. શાળા સંચાલકો વાલીઓ પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર માંગી શકે છે. કેટલીક ખાનગી શાળાઓ તરફથી RTE અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગવામાં આવતા હોવાની ફરિયાદ અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે.

ચોમાસાના આગમનને લઈને દેખાયા મોટા સંકેત, ગુજરાતના વાતાવરણમાં થઈ મોટી હલચલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે