Home> Gujarat
Advertisement
Prev
Next

માનવતા મહેકી! મરતા મરતા જયંતિભાઇ 3 લોકોને જીવાડતા ગયા અને આપણને મોટો સબક શીખવાડતા ગયા...

સિવિલ હોસ્પિટલમાં 125 મું અંગદાન થયું છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની જયંતિભાઈ પ્રજાપતિને 5મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જયંતિભાઇની તબીયત વધુ ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

માનવતા મહેકી! મરતા મરતા જયંતિભાઇ 3 લોકોને જીવાડતા ગયા અને આપણને મોટો સબક શીખવાડતા ગયા...

ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 125 મું અંગદાન થયું છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની જયંતિભાઈ પ્રજાપતિને 5મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જયંતિભાઇની તબીયત વધુ ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

વરસાદને લઈ અંબાલાલ મૂંઝવણમાં મૂકાયા! આ વિસ્તારોનું આવી બનશે! ગૂંચવણભરી સિસ્ટમ સક્રિય

સિવિલ હોસ્પિટલના તબીબોની ચાર દિવસની મહેનતના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું હતું. તબીબો દ્વારા જયંતિભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)એ પ્રજાપતિ પરિવારને અંગદાન માટે પ્રેરણા આપી. 

fallbacks

ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો જીવલેણ: એક જ દિવસમાં 2 લોકોએ ગુમાવ્યા જીવ, પરિવારને આંચકો

તેઓએ સમગ્ર પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે આ ઉમદા કાર્યથી પીડિતને નવજીવન મળે છે તે ભાવ સમજાવ્યો હતો. જેનું પરિણામ એ મળ્યું કે, પરિવારજનો અંગદાન માટે સંમત થયા. તેમણે એકજૂટ થઈને અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ જયંતિભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છથી સાત કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

કલેક્ટર ગઢવીની વાસનાનો ખેલ ખુલ્લો પાડવામાં કોણ છે પડદા પાછળના અસલી ખેલાડી

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ટીમ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)ની પણ બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં અહમ્ ભૂમિકા રહી છે. ઘણા કિસ્સામાં દાદા એ સ્વજનોના નિવાસ સ્થાને તેમજ લાંબા અંતર ખેડીને તેમના ગામડામાં કે અન્ય શહેરમાં જઈને પણ અંગદાન માટે પ્રેરિત કર્યા છે. જેના પરિણામે ઘણાં પરિજનોએ અંગદાન માટે પ્રેરાઇને સ્વજનના અંગદાન કરવાની સંમતિ પણ આપી છે. અંગદાન માટે સમજાવટ, સંમતિ એ પ્રથમ પગથિયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More