Home> Gujarat
Advertisement
Prev
Next

દેશભરમાંથી આવેલાં કલાકારોએ શહીદ થયેલાં બહાદુર જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ

દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

દેશભરમાંથી આવેલાં કલાકારોએ શહીદ થયેલાં બહાદુર જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ

તૃષાર પટેલ, વડોદરા: વડોદરામાં ભારતીય સૈન્ય જવાનોનાં શૌર્ય, બલિદાન અને પરાક્રમને કલાનાં માધ્યમ રજુ કરવાનો એક અનોખો પ્રયાસ થયો. જેમાં દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વધુમાં વાંચો: ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિંલિંગ મહોત્સવનું આયોજન, સીએમ રૂપાણીએ કર્યો પ્રારંભ

fallbacks

વડોદરાની સર્જન આર્ટ ગેલેરી ખાતે આજથી એક અનોખા એક્ઝિબિશનની શરૂઆત થઇ. આજે જયારે દેશભરમાં આતંકવાદ અને તેનાં તેને પનાહ આપનારા પાકિસ્તાન સામે જબરદસ્ત જનાક્રોશ છે ત્યારે દેશનાં કલાકારોએ પણ કલાનાં માધ્યમથી પુલવામાનાં શહીદ જવાનોની શહાદતને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરાયો. આ સમગ્ર પ્રદર્શનીને પુલવામા આતંકી હુમલા બાદ કલાકારોની પ્રતિક્રિયાને રૂપમાં રજુ કરવામાં આવી છે. જેમાં સરહદ પરની વાસ્તવિક પરિસ્થિતિ અને દેશનાં જવાનોનાં પરાક્રમની મિશાલ એવી સર્જીકલ સ્ટ્રાઇકની ઘટનાને પેઇન્ટિંગનાં માધ્યમથી આવરી લેવામાં આવી છે.

વધુમાં વાંચો: ફાયરબ્રીગેડ સબઓફીસરની જગ્યા માટેની ભરતી પ્રક્રીયાને લઇ ફરી વિવાદ

fallbacks

પુલવામામાં શહીદ થયેલાં આપણાં 40 જવાનોનાં તિરંગા સાથેનાં કોફીનમાં લિપટાયેલાં દેહને પણ એક્ઝિબિશનમાં ચિત્રનાં માધ્યમથી રજુ કરી દેશદાઝની ભાવના જગાડવાનો પ્રયાસ કરાયો છે.વડોદરામાં આયોજિત આ અનોખા એક્ઝિબિશનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અસમ, દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી આવેલાં કલાકારો એકજુટ થઇ સંયુક્ત પેઇન્ટિંગ કરી રહ્યાં છે.

વધુમાં વાંચો: ભુજમાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

fallbacks

પુલવામામાં આપણાં 40 જવાનો માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયાં. જેથી આ પ્રકારનું એક્ઝિબિશન કરવાં માટે દેશનાં 40 જેટલાં આર્ટીસ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં. એટલું જ નહીં પુલવામા હુમલાને લઇને સંવેદના વ્યક્ત કરવાં તેમજ તેનાં માધ્યમથી એકતાનો સંદેશ આપવા સતત 24 કલાક કામ કરી સળંગ 200 ફુટ લાબું ચિત્ર તૈયાર કરવાનું નક્કી કરાયું જેમાં તમામ કલાકારોએ સંયુક્ત રીતે પોતાની કલાકારી પ્રદર્શિત કરી. પુલવામાનાં શહીદ જવાનોને કલાનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતું આ એક્ઝિબિશન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More