junagadh news : ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે રવિવારે મુંબઈના ઈસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી. હવે તેને લઈને ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચી છે. મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે. મૌલાનાને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી
હાર્ટ એટેકથી દક્ષિણ ગુજરાતમાં મોતનું તાંડવ : સુરતમાં 3 યુવકો ચાલુ કામમાં ઢળી પડ્યા
મૌલાનાએ આપ્યુ હતું ભડકાઉ ભાષણ
મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી, કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યૂસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે IPCની કલમ 153-બી અને 502 (2) અંતર્ગત FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે બે સ્થાનિક આયોજકોની પહેલાં જ ધરપકડ કરી હતી. બંનેએ એમ કહીને કાર્યક્રમની અનુમતિ માગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશામુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે. પરંતુ વાયરલ વીડિયોમાં મૌલાના સલમાન અઝહરી તો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે.
કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?
મૌલાના મુફ્તી અઝહરીના ભડકાઉ ભાષણથી સાધુ સંતો રોષે ભરાયા છે. હિંદુ કે સનાતન વિરોધ નિવેદન આપનાર સામે કડક પગલાં લેવા માટે સંતો ગાઈડલાઈન તૈયાર કરશે. પોલીસની મૌલાના સામેની કાર્યવાહીને સંતોએ યોગ્ય ગણાવી છે.
અટલ બ્રિજથી અમદાવાદ કોર્પોરેશનને મોટી આવક થઈ, છલકાઈ AMC ની તિજોરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે