AAP Leader Arjun Rathva Resigned: આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં આપના નેતા અર્જૂન રાઠવાને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધુ છે.
ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !
તમને જણાવી દઈએ કે અર્જુન રાઠવા આદિવાસી સમાજના આગેવાન છે અને તેઓ 2013થી ગુજરાત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. 2022માં છોટાઉદેપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હાર્યા હતા. પરંતુ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અર્જુન રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીને સંબોધી પોતાનું રાજીનામું આપી દીધું હતું.
એક દેશ, એક ચૂંટણીથી ભાજપને થશે કેટલો ફાયદો? 2014થી 2023 સુધીના જાણી લો ગણિત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાના રાજીનામાથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા.
Gold Price: સોનાના દાગીનાના ભાવમાં મોટો ઘટાડો, ગ્લોબલ માર્કેટની જોવા મળી અસર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે