અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પોતાના વતન માણસા પહોંચ્યા હતા. ત્યાં અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. અમિત શાહ માણસા જવાના હોવાથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો.
દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ માણસામાં માતાજીની આરતી કરવા માટે આવતા હોય છે.
માણસામાં અમિત શાહ આવવાના હોવાથી મંદિર સહિત તમામ જગ્યાએ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે