જાવેદ સૈયદ/અમદાવાદ: સામાન્ય રીતે રવિવારના દિવસે અમદાવાદીઓ હરવા ફરવા નિકળતા હોય છે. ત્યારે સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે ખુલ્લા મુકવામાં આવેલા ફ્લાવરશોમાં અમદાવાદીઓએ પડાપડી કરી હતી. અને મોટી સંથ્યામાં લોકોનો જમાવડો આવી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સાંજ પડતા જ પોલીસ અને પ્રશાસને રિવેરફ્રન્ટના આશ્રમ રોડથી અને એલીસબ્રીજના રિવેર ફ્રન્ટની એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી. મહત્વનું છે, કે મોટી સંખ્યામાં લોકોએ વાહનો લઈને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. રાત પડતા જ લોકોની ભીડ જોઇને ફલાવર શો ના તમામા ગેટ અને ટીકીટ બારીઓ પણ બંધ કરવામાં આવી હતી.
માર્ગદર્શિકા:
આજના દિવસે ફ્લાવર શોમાં નગરજનોના ભારે ધસારાના કારણે શહેરીજનોને #flowershow નહી જવા નમ્ર અપીલ છે.
જરૂર જણાયે ફ્લાવર શો ના દિવસો લંબાવવામાં આવશે.જેથી આપ પછીથી મુલાકાત લઈ શકશો@ibijalpatel @vnehra— AMC (@AmdavadAMC) January 20, 2019
આ સિવાય લોકોનો મોટી સંખ્યા જમાવડો થવાને કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ફલાવર શો ૨૨ જાન્યુઆરીસુધી લંબાવામાં આવ્યો છે. માટે હવે અમદાવાદીઓ આગામી 22 જાન્યુઆરી સુધી લોકોને રીવરફ્રન્ટ પર આયોજીત ફ્લાવર શોની મોજ માણી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે