Home> Gujarat
Advertisement
Prev
Next

AMC દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે, નાગરિકોને પણ મળશે 'આ' લાભ

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.

AMC દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે, નાગરિકોને પણ મળશે 'આ' લાભ

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને 5 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક રાખ્યો છે. મ્યુનિસિપલ નર્સરીમાં ગળો, અરડૂસી, અશ્વગંધા જેવા આયુર્વેદ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પણ વિતરણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે. 

મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો એક જૂનથી અમલ શરૂ
આ ઉપરાંત તેમણે કહ્યું કે મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી હતી જેનો 1જૂનથી અમલ શરૂ થઈ ગયો છે. સદર યોજના અંતર્ગત 1 લાખ 81 હજાર કરદાતાઓએ ટેક્ષ જમા કરાવ્યો છે. તેમજ મનપાને 25 જૂન સુધી રૂપિયા 129.40 કરોડની આવક થઈ છે. મધ્યઝોનમાં રૂ.16.26 કરોડ, ઉતરઝોનમાં રૂ.6.76 કરોડ, દક્ષિણઝોનમાં રૂ. 8.42 કરોડ, પૂર્વઝોનમાં રૂ.9.48 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.44.62 કરોડ, ઉતરપશ્ચિમઝોનમાં રૂ.25.49 કરોડ અને દક્ષિણપશ્ચિમઝોનમાં રૂ.18.28 કરોડની આવક એડવાન્સ મિલ્કતવેરા પેટે થઈ છે.

જુઓ LIVE TV

સદર યોજનામાં મિલકતવેરો ભરપાઈ કરનારને 10 ટકા રિબેટ આપવામાં આવે છે.લોકડાઉન અને કોરોનાના કારણે  એડવાન્સ ટેક્ષ યોજનામા નિર્ધારિત આવક થઈ નથી. રાજ્ય સરકારે મિલ્કત વેરા પર 20 ટકા વળતરની જાહેરાત કરી છે. પરિપત્ર થયા બાદ તેનો લાભ પણ નાગરિકોને આપવામાં આવશે.જે કરદાતાએ એડવાન્સ ટેક્ષ ભર્યો હશે તેમને આગામી નાણાકીય વર્ષમાં રિબેટ આપવામાં આવશે. ભારે પવન અને વરસાદના કારણે 346 વૃક્ષો પડી ગયા છે. જેની ફરિયાદના નિકાલ કરવામાં આવ્યા છે. આ વરસે પણ વધુ વૃક્ષો લગાવવામાં આવશે. 29 જૂનથી નાગરિકોની માંગણી મુજબ તેમના ઘરે જઈને રોપા લગાવી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More