ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે બેઠક મળી હતી. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ બ્રિજને અવરજવર માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અગાઉ કેન્ટેઈનમેન્ટ ઝોન અંતર્ગત મૂકવામાં આવેલ વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે શહેરના કેટલાક વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેવ સંપૂર્ણ વોર્ડને બદલે જે-તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોને જ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મૂકાશએ. જેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદના કન્ટેઈનમેન્ટ-માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાયના પ્રતિબંધિત ના હોય તેવી તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે ખુલ્લો રહેશે. જે માટે નિયમોનું પાલન કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે