Home> Gujarat
Advertisement
Prev
Next

'જેલના ભજીયા' હાઉસની થશે કાયાપલટ; જેલ જેવું ફિલ કરાવશે આ રેસ્ટોરન્ટ, ગાંધી થાળી ધૂમ મચાવશે!

અમદાવાદના 'જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક. જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરવામાં આવશે. સાબરમતી જેલમાં રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ બનાવાશે. નવા જેલ ભજીયા હાઉસમાં 'ગાંધી થાળી' બની રહેશે આકર્ષણનું કેન્દ્ર.

 'જેલના ભજીયા' હાઉસની થશે કાયાપલટ; જેલ જેવું ફિલ કરાવશે આ રેસ્ટોરન્ટ, ગાંધી થાળી ધૂમ મચાવશે!

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજીયા અને ગોટાનો સ્વાદ પણ માણ્યો હશે. પરંતુ આ નાસ્તાની સાથે હવેથી લોકો માટે ખાણી-પીણીની ફૂલ ડિશનો સ્વાદ પણ માણી શકશે. આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. જી હા...આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે.

આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ; ગુજરાત સહિત 10થી વધુ રાજ્યોમાં મચશે કહેર!

આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરવામાં આવશે. જ્યારે પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્પેશિયલ 'ગાંધી થાળી' લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે.

PM લોકાર્પણ કરે તે પહેલાં સિગ્નેચર બ્રિજનું નામ બદલાયું; જાણો હવે કયા નામથી ઓળખાશે?

નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે.

તમે 18 લઈ જાવ પણ આ 8 તો અમે જ લઈશું, ગુજરાત લોકસભા માટે AAPની કોંગ્રેસને ફોર્મ્યુંલા

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં 'જેલ ભજીયા હાઉસ'ને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત આર.ટી.ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ.૮૬.૪૭ લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. 'જેલ ભજીયા હાઉસ'ના નવીનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More